Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય સભામાં તલાવચોરા અને ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજન માટે પણ ઠરાવ પસાર કરાયો હતો.
તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતના અધ્‍યક્ષ સ્‍થાને કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ,ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ, ઉપ પ્રમુખ જીગ્નેશ ગાંવિત, શાસક પક્ષના નેતા મહેશભાઈ, દંડક તોહલ નાયક, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24 ના સરકારી પ્રવૃત્તિ અને સ્‍વભંડોળના અંદાજપત્ર પર વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં આરોગ્‍ય, શિક્ષણ, પશુપાલન, કુદરતી આફતો, જાહેર બાંધકામ વિગેરેની કરાયેલ જોગવાઈઓનું વિવરણ મદદનીશ ટીડીઓ જીતુભાઈ તથા નાયબ હિસાબનીશ અરવિંદભાઈ થોરાટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતે જણાવ્‍યું હતું કે બજેટમાં વિકાસના કામોને ધ્‍યાનમાં રાખી રસ્‍તા, પાણી જેવા લોકોની સુખાકરી ના કામ માટે જાહેર બાંધકામ ક્ષેત્રે સૌથી વધુ રૂા.2.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટીડીઓ ચેતનભાઈ દેસાઈ દ્વારા સરપંચોની રજૂઆત સંદર્ભે અભિપ્રાય માંગવામાં આવતા શાસક પક્ષના તમામ સભ્‍યોએ એકસુરે હાલે જે ટેન્‍ડરિંગ પધ્‍ધતી તાલુકા પંચાયત કક્ષાએથી ચાલી રહી છે. તે યથાવત રાખવાનો અભિપ્રાય આપ્‍યો હતો.
સામાન્‍ય સભામાં તલાવચોરા ગ્રામ પંચાયતમાંથી બારોલીયા અને ગોડથલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન માટે જરૂરી ઠરાવ કરી જિલ્લા પંચાયતમાં દરખાસ્‍ત મોકલવાનું પણ નક્કી કરાયું હતું.સામાન્‍ય સભામાં વિકાસના કામો ઝડપથી પુરા થાય તે માટે પણ સભ્‍યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા દ્વારા રસ્‍તા, શાળાના ઓરડાના તથા કાકડવેલમાં ગ્રામ પંચાયત ભવનના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment