April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: મોબાઈલના દોરમાં પુસ્‍તકથી વિમુખ થતી આજની પેઢીને પુસ્‍તક વાંચન તરફ અને ગુજરાતી ભાષા માટે જાગૃત તથા પ્રેરિત કરવા માટે પુસ્‍તક પરબ કિલ્લા પારડી દ્વારા સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. દર માસના પ્રથમ રવિવારે કિલ્લાપારડીમાં કિંજલ પંડયાના નેતૃત્‍વમાં પુસ્‍તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક પુસ્‍તકો સાથે 1500 થી 1800 જેટલા રસપ્રદ પુસ્‍તકોના મેળાનું આયોજન કરવામાં આવે છે.
પુસ્‍તક પરબ મેળાની શરૂઆત થયાને એક વર્ષ પૂર્ણ થતા પુસ્‍તક પરબ કિલ્લા પારડી દ્વારા આગામી તારીખ 02-4-2023 રવિવારનાં રોજ ધીરૂભાઈ સત્‍સંગ હોલ, જુની મામલતદાર ઓફિસની બાજુમાં ને.હા.નં. 48 ખાતે વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ છે.
પુસ્‍તક પરબના વાર્ષિક સમારોહમાં વક્‍તા અને લેખક અંકિત દેસાઈની ખાસ ઉપસ્‍થિતિ રહેશે. પુસ્‍તક પરબના વાર્ષિક સમારોહમાં સૌ વાંચન પ્રેમીઓ, સાહિત્‍ય રસીકો અને વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે આયોજક કિંજલ પંડયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

…તો દમણ અને દીવની મુક્‍તિની માત્ર યાદો જ બાકી રહેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

Leave a Comment