January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલીના મસાટ ગામે અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ એક સોના-ચાંદીની દુકાનનું તાળુ તોડી અંદાજીત 70 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર મસાટ ગામે આવેલ કૃષ્‍ણ હાઇટ્‍સની સામે બેલસામાં ખિમજ માતા જ્‍વેલર્સમાં મોડી રાત્રે અજાણ્‍યા ચોરોએ ગેસ કટરથી શટરનું તાળુ તોડી જ્‍વેલર્સની દુકાનમાં ઘુસી અંદાજીત 70 હજારના સોના-ચાંદીના દાગીનાઓ ચોરી રહ્યા હતા તે સમયે પીસીઆર વાનની સાયરનનો અવાજ સાંભળી ગેસ કટર અને અન્‍ય સામાન ત્‍યાં જ છોડી ફરાર થઈ ગયા હોવાી ઘટના સામે બની છે. સવારે જ્‍યારે દુકાનના માલિક વિક્રમસિંહ દુકાને પહોંચ્‍યા તે સમયે જોયું કે એમની જ્‍વેલર્સની દુકાનના શટરનું તાળુ તુટેલું હતું અને દુકાનની અંદર જઈ જોતા દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાઓ ચોરાઈ ગયા હોવાનું જોવા મળ્‍યું હતું. આ ઘટના અંગે મસાટ આઉટ પોસ્‍ટમાં જાણ કરતા એ.એસ.આઈ. આર.ડી.રોહિત અને એમની ટીમ ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ મસાટ પોલીસ કરી રહી છે.

Related posts

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

Leave a Comment