Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: નવા શૈક્ષણિક સત્ર (2023-24)નો સોમવારથી શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્‍યમ શાળા સલવાવ ખાતે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે બાળકોના આગમન અને તેમના નવા સત્રની શરૂઆત માટે સંસ્‍થા દ્વારાબ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ માઁ સરસ્‍વતી પૂજન અને યજ્ઞનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં બેસીને યજ્ઞની સમીધ પૂર્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ, શ્રીમતી જયશ્રીબેન યોગીનીબેન અને માનનીય આચાર્ય મેડમ મીનલ દેસાઈ અને શિક્ષકોએ આ યજ્ઞમાં ભાગ લઈ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ યજ્ઞનો હેતુ એ હતો કે આ દ્વારા બાળકોમાં શુદ્ધ વિચારો અને નવી ઉર્જાનો સંચાર થાય. બ્રાહ્મણને અનુસરીને બાળકોએ શ્‍લોકોનું પઠન કરીને યજ્ઞમાં ભાગ લીધો, બધા બાળકો ખૂબ જ ઉત્‍સાહિત જણાતા હતા. અંતમાં પ્રિન્‍સિપાલએ તમામ બાળકોને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

vartmanpravah

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

Leave a Comment