Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

કાર નં.જીજે 15 સીજી 6710માં ચાલક ભુંજાઈ ગયો હતો : પોલીસ કાર માલિકની તપાસે શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ હાઈવે સોનવાડા કબીરપથ મંદિર પાસે મુંબઈ તરફ જઈ રહેલા સર્વિસ રોડ ઉપર આજે બુધવારે સવારે અચાનક એક અલ્‍ટીગા કારમાંભિષણ આગ લાગી હતી. આગમાં કાર ચાલક અંદર જ ભૂંજાઈ ગયો હતો. આગના બનાવ બાદ દોડધામ મચી ગઈ હતી.
વલસાડ હાઈવે ડુંગરી સોનવાડા કબીરપથ મંદિર પાસે આજે સવારે મુંબઈ તરફ જઈ રહેલ સર્વિસ રોડ ઉપરથી અલ્‍ટીગા કાર નં.જીજે 15 સીજી 6710 ચાલુ હાલત કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં બનાવની ભયાનકતા એ હતી કે કાર ચાલક જ આગમાં ભુંજાઈ ગયો હતો. રાહદારીઓએ પોલીસ અને ફાયરને ફોન કરતા વલસાડ પાલિકા ફાયરે કલાકની જહેમત બાદ આગને બુઝાવી હતી. પોલીસે મૃતક અને કાર માલિક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

Leave a Comment