June 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

પૂજા, યજ્ઞ તથા હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ભક્‍તોએ ધન્‍યતા અનુભવી: બપોરે યજ્ઞ બાદ શરૂ થયેલમહાપ્રસાદ મોડી રાત સુધી ચાલવાની પરંપરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી હનુમાન ડુંગરી સ્‍થિત રોકડિયા હનુમાન દાદાનું મંદિર પારડી તથા આજુબાજુના વિસ્‍તારના લોકો માટે ભક્‍તિ અને આસ્‍થાનું પ્રતીક છે વર્ષ દરમિયાન દર શનિવારે અહીં ભક્‍તોની ભીડ જોવા મળે છે.
વર્ષોથી ઉજવાતા હનુમાન જન્‍મોત્‍સવના દિવસે અહીં ઉજવાતા વિવિધ કાર્યક્રમોને લઈ અહીંનું વાતાવરણ ખૂબ જ ભક્‍તિમય બની જાય છે. લોકો સ્‍વયંભૂ ઉમટી પડી હનુમાન દાદાનો જન્‍મોત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
ચૈત્ર સુદ પૂનમ હોય ચૈત્રી નવરાત્રીને લઈ માતાજીના યજ્ઞ અને હનુમાનદાદાનો પણ જન્‍મદિન હોય અહીં બે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તજનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શન માટે મોટી કતારમાં લોકોએ ઊભા રહી દાદાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
વર્ષોની આ મંદિરની પરંપરા રહી શકે બપોરે યજ્ઞ હવન બાદ શરૂ કરવામાં આવેલ મહાપ્રસાદ મોડી રાત સુધી સતત ચાલુ રહે છે અને હજારો ભક્‍તજનો આ મહાપ્રસાદનો લાભ લે છે.
કોઈપણ ભગવાન કે માતાજીના અવતરણ દિવસને જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ હનુમાન દાદા હાલમાં પણ આપણી સાથે હાજરાહજૂર હોય હનુમાન જયંતિ નહીં પરંતુ હનુમાનજન્‍મોત્‍સવ તરીકે આ દિવસને ઉજવવું એ આપણા માટે હનુમાનદાદા આપણી સાથે હોવાનો પુરાવો છે.

Related posts

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

vartmanpravah

મધ્‍યરાત્રીએ પારડી પોલીસના સપાટો: બેફામ ઝડપે પીકઅપ ચલાવતા 15 જેટલા પિકઅપ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

Leave a Comment