Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપીથી પ્રસિદ્ધ થતાં દમણગંગા ટાઈમ્‍સ દૈનિક અખબારના સંસ્‍થાપક-તંત્રી શ્રી એન.વી. ઉકાણીનું આજરોજ સવારે 11.1પ કલાકે નિધન થયું હતું.
શ્રી એન.વી. ઉકાણી કચ્‍છના કડવા પાટીદાર હતા અને છેલ્લા 40 વર્ષથી વાપીમાં ધંધાર્થે સ્‍થાયી થયા હતા. પ્રારંભમાં તેમણે ઉકાણી કેમિકલ નામની કંપનીની સ્‍થાપના કરી હતી અને ત્‍યારબાદ 1998માં વાપીમાં દમણગંગા ટાઈમ્‍સ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો. પાછળથી દમણગંગા ટાઈમ્‍સને દૈનિક સ્‍વરૂપ આપવામાં આવ્‍યું હતું.
શ્રી એન.વી. ઉકાણી મળતાવડા, સૌમ્‍ય અને પ્રખર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. વાપી સહિત આજુબાજુના વિસ્‍તારમાં તેમણે પોતાનો મોટો પ્રસંશક ચાહક વર્ગ પણ ઉભો કર્યો હતો.
જાન્‍યુઆરી-2023માં તેઓ સામાજીક કામ અર્થે પોતાના વતન ભૂજગયા હતા જ્‍યાં તેમની તબિયત અચાનક લથડતા ત્‍યાંની હોસ્‍પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ દાખલ કરાયા હતા અને ત્‍યાંથી વાપી હરિયા રોટરી હોસ્‍પિટલમાં શીફટ કરાયા હતા. આજે સવારે 11.1પ કલાકે શ્રી એન.વી. ઉકાણી અંતિમ શ્વાસ લઈ ફાની દુનિયા છોડી હતી.
શ્રી એન.વી. ઉકાણીના નિધનના સમાચાર વહેતા થતાં તેમના સેંકડો ચાહકો, શુભેચ્‍છકો અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. આજે સાંજે 4 વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાન ગોકુળ વિહાર ટાઉનશીપ વાપીમાંથી નિકળેલી અંતિમ યાત્રામાં સામાજીક, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, પત્રકારો સહિત પરિવારના સભ્‍યો જોડાયા હતા. તેઓ તેમની પાછળ પોતાના ધર્મપત્‍ની શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને બે પુત્રીઓ શીતલબેન અને મિતલબેનને વિલાપ કરતા છોડી અનંત યાત્રાએ નિકળી ગયા હતા.
વાપીથી અખબાર પ્રગટ કરવાનું સાહસ કરનાર શ્રી એન.વી. ઉકાણીને વાપી સહિત સંઘપ્રદેશના લોકો હંમેશા માટે યાદ રાખશે.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

Leave a Comment