April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10: ચીખલી તાલુકાના હરણગામમાં ધૂળ વાળી રેતીના ઉપયોગ સાથે આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામ કરાતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


આરોગ્‍ય વિભાગની પીઆયુ શાખા દ્વારા રૂા.27.99 લાખ રૂપિયાના ખર્ચે હરણગામ સબ સેન્‍ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં ચોખ્‍ખી ગુણવત્તાયુક્‍ત રેતીના સ્‍થાને ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા કોન્‍ટ્રાક્‍ટરનું ધ્‍યાન દોરી રેતી બદલવા માટે જણાવાયું હતું. પરંતુ આ ગુણવત્તા વિહીન રેતીના ઉપયોગથી બાંધકામ કરાતા કામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. કોન્‍ક્રીટમાં પણ ધૂળવાળી રેતીનો ઉપયોગ કરાતા કોન્‍ક્રીટની મજબૂતાઈ પણ નબળી થતી હોય છે. પૂરતા સૂપરવીઝનના અભાવે વચ્‍ચે ગુણવત્તા વિહીન માલ સામાનના ઉપયોગથી કરાતા બાંધકામમાં સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને સુવિધા મળતી નથી. આ રીતે તકલાદી કામો થતા ટૂંકા ગાળામાં જ દીવાલોમાં સ્‍લેબના પ્‍લાસ્‍ટરમાં મસમોટી તિરાડો પડવા સાથે પોપડા ખરી પડતા હોય છે. ત્‍યારે પીઆઇયુના જવાબદારઈજનેરો દ્વારા ગુણવત્તા યુક્‍ત માલ સામાનનો ઉપયોગ થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. જો કે સરકારી ગ્રાન્‍ટમાંથી મલાઈ ખાવા ટેવાયેલા લાંચિયા અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાતા ઈજારદારોને ભ્રષ્ટાચાર આચરવાનું મોકળું મેદાન મળી જતું હોય છે.
હરણગામમાં હાલે બીજી રેતી નાંખવામાં આવી છે. પરંતુ હમણાં લિન્‍ટલ લેવલ સુધીનું બાંધકામ થઈ ગયું છે અને તેમાં ધૂળવાળી રેતીનો જ ઉપયોગ કરાયો છે. ત્‍યારે આ બાંધકામ કેટલું ટકાઉ અને ગુણવત્તા યુક્‍ત હશે તે સમજી શકાય તેમ છે. ત્‍યારે આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.
ટીએચઓ ડો.અનિલભાઈના જણાવ્‍યાનુસાર હરણગામે સબ સેન્‍ટરના બાંધકામના સ્‍થળની મુલાકાત લેતા રેતી ધૂળવાળી ખરાબ જણાતા આ અંગે પીઆઈયુના અધિકારીને જાણ કરવામાં આવેલ છે.

Related posts

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment