Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

દશાબ્‍દિ મહોત્‍સવ સદ્‌ગુરૂ સંત પૂજ્‍ય કોઠારી બાપા (પૂજ્‍ય ભક્‍તિપ્રિય સ્‍વામી મુંબઈ) તથા હરિભક્‍તોની ઉપસ્‍થિતિમાં ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના સુપ્રસિદ્ધ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો આરંભ આવતી કાલ તા.17મી એપ્રિલથી 22મી એપ્રિલ સુધી ખુબ જ ભવ્‍યતાથી થઈ રહ્યો છે.
ભગવાન સ્‍વામી નારાયણની કૃપાથી તથાબ્રહ્મસ્‍વરૂપ પરમ પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજના સંકલ્‍પથી થયેલ મંદિર એટલે સેલવાસનું બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિર. બ્રહ્મસ્‍વરૂપ પ.પૂ. પ્રમુખ સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા પૂજન થયેલ અને પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ પ.પૂ.મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા પ્રતિષ્‍ઠિત થયેલ સેલવાસના નજરાણા સમા બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતા હોવાથી દશાબ્‍દિ મહોત્‍સવ સદ્‌ગુરૂ સંત પૂજ્‍ય કોઠારી બાપા(પૂજ્‍ય ભક્‍તિપ્રિય સ્‍વામી મુંબઈ) તથા હરિભક્‍તોની ઉપસ્‍થિતિમાં ધામધૂમથી ઉજવાશે.
આ દશાબ્‍દિ મહોત્‍સવમાં 17મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે સંગીતજ્ઞ સંતો દ્વારા કિર્તન-આરાધના, 18મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે કાર્યકર દિન – સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 19મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે બાળ દિન-સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 20મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે યુવા દિન-સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 21મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે અભિવાદન દિન અને તા.22મી એપ્રિલના રોજ સવારે 6:00 વાગ્‍યે પાટોત્‍સવ વિધિ અને મહાપૂજા, મહિલા દિન સવારે 10:00 વાગ્‍યાથી 12:00 વાગ્‍યા દરમિયાન કાર્યક્રમ આયોજીત કરાશે. આ મંગલ અવસરે ઉપસ્‍થિત રહી ધન્‍યતા અનુભવવા ભાવિક ભક્‍તોને સાધુ, દિવ્‍યતનયદાસ સ્‍વામી કોઠારી શ્રી અને સેલવાસ સંત મંડળ દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાંઆવ્‍યું છે.

Related posts

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment