Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્‍ય ધરમપુરના ફંડ અને સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના સૌજન્‍યથી અને રેઈન્‍બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત ‘‘ઉમિયા વાંચન કુટિર”નું ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ અને આંબાતલાટના અગ્રણી મોહનભાઈ પી. પટેલ 23 એપ્રિલના રોજ સવારે 9-00 વાગ્‍યે આંબાતલાટના હનુમાનજી મંદિર ખાતે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર મનિષભાઈ એસ. પટેલ, કસ્‍ટમવિભાગના ચીફ એકાઉન્‍ટ ઓફિસર હિતેશભાઈ આર. પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જય બજરંગબલી યુવક મંડળ અને આંબાતલાટ ગ્રામ પંચાયત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment