August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

આકાર પામી રહેલા અને પામનારા વિકાસના કામોનો સ્‍થળ નિરીક્ષણ કરી મેળવેલા તાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: આજરોજ સુરત ડિવિઝન રિજનલ કમિશનર મ્‍યુનિસિપાલિટી શ્રી ડીડી કાપડિયા અને એમની ઉચ્‍ચ અધિકારીઓની ટીમ સાથે ઉમરગામ પાલિકાની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાલિકા હદ વિસ્‍તારમાં થઈ રહેલા વિકાસના કામો અને નજીકના ભવિષ્‍યમાં થનારા કામોની સમીક્ષા કરવા માટે સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. વિકાસના કામોનું સ્‍થળ નિરીક્ષણ દરમિયાન પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ માછી, ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિતના અગ્રણી ચૂંટાયેલા કાઉન્‍સિલરો તેમજ શ્રી ઈશ્વરભાઈ બારી, શ્રી સચિનભાઈ માછી, શ્રી જીગ્નેશભાઈ બારી સહિતના આગેવાનો તેમજ અધિકારીઓમાં એડિશનલ કલેક્‍ટર, એક્‍ઝિકયુટ એન્‍જિનિયર, ઈન્‍ચાર્જ પાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલને જોડે રાખી સંપૂર્ણ પરિસ્‍થિતિનો તાગ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. વિકાસના કામોમાં પારદર્શક વહીવટ સાથે ગતિ લાવવાના પ્રયાસ માટે જરૂરી સલાહ સૂચનો કરવામાં આવ્‍યા હતા. ઉમરગામ પાલિકામાં થઈ રહેલા અને ભવિષ્‍યમાં થનારા વિકાસના કામોમાં એમ એમહાઈસ્‍કૂલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ, નવનિર્મિત કચેરી ભવન, લોકમાન્‍ય તિલક લાઈબ્રેરી, ડમ્‍પીંગ સાઈટ, ઓડીટેરિયમ અને સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, કામરવાડ તળાવ, આ ઉપરાંત જલ સે નલ યોજના અંતર્ગત થયેલા કામની પણ જાણકારી હાંસલ કરી હતી.

Related posts

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશની બુનિયાદી સમસ્‍યા અને જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત પ્રધાનમંત્રી મોદીએ પ્રશાસક તરીકે નોન આઈ.એ.એસ. પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો લીધેલો ઐતિહાસિક સાર્થક નિર્ણય

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

Leave a Comment