September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

પાલિકાએ દિન બેસુધીમાં પાણી વેચવા અંગેનું રજીસ્‍ટ્રેશન કરવાની તાકીદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાણીનું ઘમાસાણ ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં કાર્યરત આર.ઓ. પ્‍લાન્‍ટ (પાણીની દુકાન) ચલાવતા 15 જેટલા વેપારીઓને પાણી વેચવા ઉપર મનાઈ ફરમાવી દીધી હતી તેથી પાણીનો વેપાર કરતા વેપારીઓ પાલિકામાં ધસી ગઈ મોરચો કાઢયો હતો અને પાણી વેચવાનું ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.
વાપીમાં હાલમાં ગરમીના દિવસોમાં પાણીનો કકળાટ વધી રહ્યો છે. અનેક જગ્‍યાએ પાણી ટેન્‍કરો દ્વારા પુરુ પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ ચોમેર અસંતોષ અને વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ પાલિકાએ 15 જેટલી પાણીની દુકાનો બંધ કરાવતા મામલો બીચકાતા પાણી વેપારીઓ પાલિકામાં આજે ઉચ્‍ચ રજૂઆત કરી હતી કે પાણી વેચાણની છૂટછાટ આપવામાં આવે. આ તબક્કે પાલિકા હાઈડ્રોલીક ઈજનેર ઝા એ સ્‍પષ્‍ટતા કરી હતી કે દિન બે માં પાણી અંગેનું જરૂરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાની તાકીદ કરી હતી. પાણી જેવી જીવન જરૂરીયાત જેવી ચીજ માટે વાપીમાં આજકાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. પાણી સેવા આપવામાં પાલિકાની સંતોષકારક સેવા શહેરને નથી મળી રહી એ ચોક્કસ છે.

Related posts

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment