Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્‍થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્‍વાગત કાર્યક્રમ. સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્‍વાગત કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.
‘સ્‍વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 202 ગ્રામ કક્ષાની અરજીઓ અને 24 તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ 226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
જ્‍યારે, ચીખલી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતાના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 257 ગ્રામ કક્ષાની અરજીઓ અને 06 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 263 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ જ શ્રૃંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીડી.આઈ. પટેલના અધ્‍યક્ષસ્‍થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 165 ગ્રામ કક્ષાની અરજીઓ અને 12 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 177 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ત્‍ઘ્‍ઝલ્‍ વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્‍યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્‍થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment