October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

આદિજાતી કમિશ્‍નરને રજૂઆત કરી પરંતુ વ્‍યર્થ પરિણામ શુન્‍ય : ન્‍યાય નહી મળે તો તા.1મેથી ભુખ હડતાલની વિદ્યાર્થીઓની ચિમકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ધરમપુરમાં કાર્યરત શ્રી વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના આશરે 700 જેટલા વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા મળી નથી તેથી છેલ્લા 15-20 દિવસથી વિદ્યાર્થીઓ સ્‍કોલરશીપ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે ગુરૂવારે વિદ્યાર્થીઓ તેમજ માંગણી માટે કોલેજ પરિસરમાં ધરણા ઉપર બેઠા હતા.
વનરાજ કોલેજના વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા થઈ નથી તેથી ગત તા.10-04-23ના રોજ વિદ્યાર્થીઓએ આદિજાતી કમિશ્‍નરશ્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તે વાતને 15 થી 20 દિવસ વિતી ગયા છતાં વિદ્યાર્થીઓને ન્‍યાય મળ્‍યો નથી. પરિણામ શુન્‍ય રહ્યું છે તેથી આજરોજ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ પોતાનીમાંગણી માટે ધરણા ઉપર બેસીને પ્રદર્શન કર્યું હતું તેમજ આ બાબતે ધરમપુર પ્રાંતમાં લેખિત જાણ કરીને જણાવ્‍યું છે કે, દિન ત્રણમાં કોઈ પરિણામ નહી આવે તો આગામી તા.01મેથી ધરમપુર મામલતદાર કચેરી સામે ભુખ હડતાલ પર બેસી જઈશું તેવી ગર્ભિત ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્‍ચારી છે. વિદ્યાર્થીઓના આ આંદોલનને તાલુકા પંચાયત અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ટેકો જાહેર કરીને સામુહિક અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવવા જણાવ્‍યું છે.

Related posts

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment