April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

આદિજાતી કમિશ્‍નરને રજૂઆત કરી પરંતુ વ્‍યર્થ પરિણામ શુન્‍ય : ન્‍યાય નહી મળે તો તા.1મેથી ભુખ હડતાલની વિદ્યાર્થીઓની ચિમકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ધરમપુરમાં કાર્યરત શ્રી વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના આશરે 700 જેટલા વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા મળી નથી તેથી છેલ્લા 15-20 દિવસથી વિદ્યાર્થીઓ સ્‍કોલરશીપ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે ગુરૂવારે વિદ્યાર્થીઓ તેમજ માંગણી માટે કોલેજ પરિસરમાં ધરણા ઉપર બેઠા હતા.
વનરાજ કોલેજના વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા થઈ નથી તેથી ગત તા.10-04-23ના રોજ વિદ્યાર્થીઓએ આદિજાતી કમિશ્‍નરશ્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તે વાતને 15 થી 20 દિવસ વિતી ગયા છતાં વિદ્યાર્થીઓને ન્‍યાય મળ્‍યો નથી. પરિણામ શુન્‍ય રહ્યું છે તેથી આજરોજ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ પોતાનીમાંગણી માટે ધરણા ઉપર બેસીને પ્રદર્શન કર્યું હતું તેમજ આ બાબતે ધરમપુર પ્રાંતમાં લેખિત જાણ કરીને જણાવ્‍યું છે કે, દિન ત્રણમાં કોઈ પરિણામ નહી આવે તો આગામી તા.01મેથી ધરમપુર મામલતદાર કચેરી સામે ભુખ હડતાલ પર બેસી જઈશું તેવી ગર્ભિત ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્‍ચારી છે. વિદ્યાર્થીઓના આ આંદોલનને તાલુકા પંચાયત અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ટેકો જાહેર કરીને સામુહિક અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવવા જણાવ્‍યું છે.

Related posts

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં દીવ ઘોઘલા ખાતે ભાજપ સદસ્‍યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment