Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

જિલ્લા પંચાયત સભ્‍ય અને શાસક પક્ષના નેતા શૈલેસભાઈની ગ્રાન્‍ટમાંથી રૂા.2,50,000 ની આર.ઓ. પ્‍લાન્‍ટ માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: આજરોજ તારીખ-30/04/2023 ને રવિવારના રોજ સવારે 10.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ પહેલાં ગોઈમા જિ.પંચાયત સભ્‍ય શાસક પક્ષના નેતા શૈલેસકુમાર આર. પટેલ દ્વારા જિ.પંચાયતની પંદરમાં નાણાપંચની ગ્રાન્‍ટમાંથી ફાળવેલ બે આર.ઓ. પ્‍લાન્‍ટ, (1) ગોઈમા ગામ પંચાયત કચેરી. રૂા.2,50,000 અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર (2) ગોઈમા જલારામ મંદિર પાસે રૂા.2,50,000 અંકેરૂપિયા બે લાખ પચાસ હજારનું લોકાર્પણ શાસક પક્ષના નેતા શૈલેસકુમાર આર. પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું. આર.ઓ. પ્‍લાન્‍ટથી ગોઈમા જલારામ મંદિરમાં આવતા ભાવિક ભક્‍તજનો માટે ગામ પંચાયત કચેરી અને સસ્‍તા અનાજની દુકાનમાં આવતા પ્રજા જનો માટે મોટા ફ., આગ્રીવાડ ફ., તળાવ ફ., વમળ ફ., પટેલ ફ., વાણીયાવાડ., મકન ફ. વગેરે ફળીયાના લોકોને શુધ્‍ધ પીવાનુ પાણી મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા બાળ વિકાસ સમિતિ અને એટીવીટી સભ્‍ય બ્રિજેશ પટેલ, સરપંચ પતિ મિતેશભાઈ, જિલ્લા સહકાર સેલ સભ્‍ય અમૃતલાલ પટેલ, ડેપ્‍યુટી સરપંચ મિતેશભાઈ, જલારામ ભક્‍ત મંડળના પ્રમુખ ભુપેશકુમાર પટેલ, ગામ પંચાયત સભ્‍ય વિજયભાઈ, ભાવેશ પટેલ, વનેશ પટેલ, કૌશિક પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. જલારામ ભક્‍ત મંડળના પ્રમુખ ભુપેશકુમાર પટેલે અને સરપંચ જ્‍યોતિબેન પટેલે જિ.પંચાયત સભ્‍યનો આભાર માન્‍યો હતો.

Related posts

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

Leave a Comment