Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

  • વર્ષો પહેલાં નરોલી ગામના તબીબ અને સાહિત્‍યરસિક ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે જમીન દાનમાં આપી પોતાના ખર્ચે લાઈબ્રેરીનું કરેલું નિર્માણઃ નરોલી ગ્રામ પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી હસ્‍તગત કરાયેલો લાઈબ્રેરીનો વહીવટ

  • લાઈબ્રેરીને તાળા લાગતાં ગામના વાંચકરસિયા વડિલો મહિલા અને યુવાનોને પડી રહેલી તકલીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક સાર્વજનિક વાંચનાલય અને પુસ્‍તકાલય છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્‍ટાફના અભાવે બંધ હોવાથી ગામની વાંચનપ્રેમી જનતાને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. આ વાંચનાલય વહેલામાં વહેલી તકે પહેલાની માફક શરૂ થાય તેવી માંગણી ગામના નાગરિકો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ગામના તબીબ અને સાહિત્‍યપ્રેમી ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે વર્ષો પહેલાં જમીન દાનમાં આપી પોતાના ખર્ચે એક લાઈબ્રેરી બનાવી હતી. જેનો નિભાવ પણ શરૂઆતમાં તેમના દ્વારા કરવામાં આવતો હતો. ત્‍યારબાદ આલાઈબ્રેરી અને વાંચનાલયનો વહીવટ નરોલી ગ્રામ પંચાયતને સુપ્રત કર્યા બાદ પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા એક લાઈબ્રેરિયન અને પટાવાળા મારફત આ પુસ્‍તકાલયનું સંચાલન કરાતું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલીની શાન ગણાતા ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય અને પુસ્‍તકાલયમાં વિવિધ શ્રેણીના લગભગ 4 હજાર કરતા વધુ પુસ્‍તકો છે અને દરરોજ વિવિધ અખબારો અને સામાયિકો વાંચવા માટે ગામના વડિલો તથા યુવાનો અને મહિલાઓ નિયમિત મુલાકાત લેતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી લાઈબ્રેરિયન અને પટાવાળો સેવાનિવૃત્ત થતાં આ પુસ્‍તકાલયને તાળા લાગી ગયા છે. જેને ફરીથી શરૂ કરાવી ગામલોકોની વાંચનભૂખ સંતોષવા પ્રયાસ કરવા લાગણી પ્રગટ થઈ રહી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

દમણમાં રાષ્‍ટ્રીય રમત દિવસની કરાયેલી ઉજવણી: લગોરી, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ સહિત વિવિધ રમતોનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment