Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍ચુરો)
વાપી, તા.03: ગુજરાતમાં યુવાનો માટે થઈ રહેલું અનેરું આયોજન એટલે કે યુથ-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વાપી શહેર ખાતે યોજાયો. વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જી20નું જ્‍યારે અધ્‍યક્ષ સ્‍થાન મળ્‍યું છે ત્‍યારે વાય-20ના માધ્‍યમથી વલસાડમાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેગૃહ રાજ્‍યમંત્રી, રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના કુશળ માર્ગદર્શન તથા સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવેજીના નેતૃત્‍વમાં વાય-20 ગુજરાત ટોક (વાય-20 ગુજરાત સંવાદ) કાર્યક્રમનું વાપી કેબીએસ કોલેજ ખાતેથી વલસાડ જિલ્લાના વાય-20 ગુજરાત સંવાદન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત યુવાનોએ ‘કાર્યનું ભવિષ્‍યઃ ઉદ્યોગ 4:00, ઈનોવેશન અને 21મી સદીની કુશળતા પર ઉપસ્‍થિત વક્‍તાઓ સાથે સંવાદ કર્યો અને ઉપસ્‍થિત વક્‍તાઓએ કેન્‍દ્ર સરકારની તથા ગુજરાત સરકારની વિવિધ લાભકારી નીતિઓ અને ડબલ એન્‍જિન સરકારની ઉદ્યોગ અને સ્‍ક્રિલ ઈન્‍ડિયાની યોજનાઓને લઈને યુવાનોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના ઝોન સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ, વાપી નોટીફાઈડના ચેરમેન શ્રી સતિષભાઈ પટેલ, વાપીના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અમૃતલાલ શાહ, વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ તથા વી.આઈ.એ. ખજાનચી શ્રી હેમાંગભાઈ નાયક ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનો આયોજન શ્રી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય વાપી નગર સંયોજક શ્રી ગણપતિંસહ રાઠોડ, પાર્થભાઈ પટેલ, કેતનભાઈ બ્રાહ્મણી, મયુરભાઈ પટેલ અને સ્‍વામી વિવેકાનંદ બોર્ડના યુવા સાથે મિત્રો દ્વારા કરવામાં આવ્‍યોહતો.

Related posts

દેશના ખ્‍યાતનામ દૈનિક ઈન્‍ડિયન એક્‍સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં સમાવેશ કરાયો

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

વાપી ન.પા.ના શાસકપક્ષના નેતા નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓની માનસિક સ્‍ફૂર્તિ અને અવેરનેસ માટે યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment