October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: સમરોલી સ્‍થિત સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-10 નું સીબીએસઈનું 100-ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
સમરોલીમાં શ્રી સ્‍વામિનારાયણ ઈન્‍ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામનું અંગેજી માધ્‍યમનું સીબીએસઈનું ધોરણ-12 સાયન્‍સ અને કોમર્સનું 100-ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં સાયન્‍સમાં પાર્થ પટેલ અને કોમર્સમાં હેમીલ પટેલ પ્રથમ ક્રમે આવ્‍યા હતા. શાળાના ચાર વિદ્યાર્થીઓ 90-ટકાથી વધુ જ્‍યારે 14 વિદ્યાર્થીઓ 80-ટકાથી વધુ લાવ્‍યા હતા.
જ્‍યારે સીબીએસઈના ધોરણ-10 ના અંગેજી માધ્‍યમનું પણ 100-ટકા પરિણામ સાથે યશવી ચૌહાણ પ્રથમ ક્રમે આવી હતી. અને 6 જેટલા વિદ્યાર્થીઓએ 90-ટકાથી વધુ ગુણ મેળવ્‍યા હતા. શાળાના પ્રમુખ, સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજી, નિપુનભાઈ આચાર્ય ભરતસિંધ ભદૈરિયાએ તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment