September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ. પટેલ સહિતના આગેવાનોના અથાગ પ્રયત્‍નના કારણે થાલાનું તળાવ ગામનું બની રહેલું એક સુંદર નઝરાણું

(અહેવાલ : દીપક સોલંકી ચીખલી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16: થાલામાં તળાવને કેટલાક વર્ષ પૂર્વે માજી સરપંચ મુકેશભાઈ પટેલના ફરજકાળ દરમ્‍યાન ઊંડું કરવામાં આવ્‍યું હતું. અને આ વીશાળ તળાવમાં આજે ભર ઉનાળે વિશાળ માત્રામાં પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોય આસપાસના બોર કૂવામાં પણ પાણીના સ્‍તર જળવાઈ રહ્યા છે. તળાવને ઊંડું કરવા સાથે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ.પટેલ (સોલધરા) સહિતના આગેવાનોએ તળાવની પાળનો વિકાસ કરવા બીડું ઝડપ્‍યું હતું અને જેમાં પ્રોટેક્‍શન વોલ, પેવર બ્‍લોક, તળાવમાં બેસવાની વ્‍યવસ્‍થા સહિતના કામો કરવામાં આવ્‍યા હતા અને તળાવની પાળે મોટાપાયે ગુલ મોહર, ચંપો જેવા ફુલછોડો અને બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્‍યું હતું.
થાલા તળાવની પાળે માત્ર વૃક્ષા રોપણ કરીને સંતોષ ન માની એસ.યુ.પટેલ, ભાજપના મહામંત્રી સમીરભાઈ, પૂર્વ સરપંચ મુકેશભાઈ સહિતનાઆગેવાનો દ્વારા આ ફૂલછોડ, વૃક્ષોનો ઉછેર માટે સમાયતરે સાફ સફાઈ જરૂરી ખાતર, પાણી પણ જાતે પૂરૂં પાડી માવજત કરવામાં આવતા આજે સમગ્ર તળાવની રોનક બદલાઈ જવા પામી છે. ગુલમોહરના રંગેબેરંગબી ફૂલોથી તળાવની પાળ શોભી ઉઠી છે. બીજી તરફ તળાવમાં પાણીની લહેર સાથે ફૂંકાતા ઠંડા પવનને પગલે સમગ્ર વાતાવરણ આહ્‌લાદક બનવા પામ્‍યું છે અને આસપાસના અનેક લોકોને નિરાંતની પળો માણવા, આરામ ફરમાવવા, વોકિંગ કરવાનું સ્‍થળ બની જવા પામ્‍યું છે. આમ તળાવના વિકાસ માટે એસ.યુ.પટેલ સહિતના આગેવાનો નો પ્રકળતિ પ્રત્‍યેનો પ્રેમ અને મહેનત રંગ લાવી છે.

Related posts

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

Leave a Comment