April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

વિવિધ 10 કમિટીની રચના કરાઈ : મુખ્‍ય માર્ગ ઉપર ગેટ અને સ્‍વાગત બેનરો લગાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અમદાવાદ એસ.જી. હાઈવે જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની પાટીદાર સમાજની કુળદેવી માઁ ઉમિયાનું ભવ્‍ય ગગનચુંબી મંદિર બની રહ્યું છે ત્‍યારે માતાજીનો દિવ્‍ય રથ પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના જિલ્લાઓ ફરી રહ્યો છે. તે અંતર્ગત આગામી તા.05 અને 06 જૂનના રોજ વાપી વિસ્‍તારમાં પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે શનિવારે રાત્રે સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં મીટિંગ યોજાઈ હતી.
ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ વાપીમાં ભ્રમણ કરવાનો હોવાથી બે દિવસના મહોત્‍સવની તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વાપી વિસ્‍તારમાં વસતા ઉત્તરગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના પાટીદાર પરિવારો માતાજીના દિવ્‍ય રથના સ્‍વાગત અને પરિભ્રમણ માટે થનગની રહ્યો છે તે માટે વિવિધ 10 કમિટીની રચના, સ્‍વાગત વિવિધ ગેટ અને બેનરોનું આયોજન હાથ ધરાઈ ચુક્‍યુ છે તે એટલી જ શ્રધ્‍ધા અને આસ્‍થા સાથે દાનની પણ અવિરત સરવાણી ચાલુ થઈ છે. સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજની મીટિંગ આયોજક સમિતી તરફથી સતિષભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા મહિલા મંડળ તરફથી ગીતાબેન પટેલએ આયોજનની સવિસ્‍તાર વિસ્‍તૃત માહિતી આપી હતી. આગામી તા.26 કે 27 મે ના રોજ સમસ્‍ત સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાત પાટીદાર પરિવારોની મુખ્‍ય મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment