Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

વિવિધ 10 કમિટીની રચના કરાઈ : મુખ્‍ય માર્ગ ઉપર ગેટ અને સ્‍વાગત બેનરો લગાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અમદાવાદ એસ.જી. હાઈવે જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની પાટીદાર સમાજની કુળદેવી માઁ ઉમિયાનું ભવ્‍ય ગગનચુંબી મંદિર બની રહ્યું છે ત્‍યારે માતાજીનો દિવ્‍ય રથ પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના જિલ્લાઓ ફરી રહ્યો છે. તે અંતર્ગત આગામી તા.05 અને 06 જૂનના રોજ વાપી વિસ્‍તારમાં પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે શનિવારે રાત્રે સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં મીટિંગ યોજાઈ હતી.
ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ વાપીમાં ભ્રમણ કરવાનો હોવાથી બે દિવસના મહોત્‍સવની તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વાપી વિસ્‍તારમાં વસતા ઉત્તરગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના પાટીદાર પરિવારો માતાજીના દિવ્‍ય રથના સ્‍વાગત અને પરિભ્રમણ માટે થનગની રહ્યો છે તે માટે વિવિધ 10 કમિટીની રચના, સ્‍વાગત વિવિધ ગેટ અને બેનરોનું આયોજન હાથ ધરાઈ ચુક્‍યુ છે તે એટલી જ શ્રધ્‍ધા અને આસ્‍થા સાથે દાનની પણ અવિરત સરવાણી ચાલુ થઈ છે. સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજની મીટિંગ આયોજક સમિતી તરફથી સતિષભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા મહિલા મંડળ તરફથી ગીતાબેન પટેલએ આયોજનની સવિસ્‍તાર વિસ્‍તૃત માહિતી આપી હતી. આગામી તા.26 કે 27 મે ના રોજ સમસ્‍ત સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાત પાટીદાર પરિવારોની મુખ્‍ય મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment