July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે તા.૨૦મી મે ના રોજ આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં વલસાડના પ્રબુદ્ધ નાગરિકો, સાધકો, ટ્રેનરો સહિત અંદાજે ૧૩૫૦ નાગરિકો જોડાયા હતા. આ શિબિરમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૩ ની ઉજવણીનાં ભાગરૂપે નાગરિકો યોગ સાથે જોડાઈ એ માટે યોગ સાધકો દ્વારા એક યોગ જાગરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ જાગરણ રેલીને વલસાડના નિવાસી અધિક કલેકટર શ્રીમતી એ.આર.જહા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી આરપીએફ ગ્રાઉન્ડ થી શરૂ થઇ ડી.એસ.પી કચેરી થઇ પરત આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૧ જુન ૨૦૨૩ ના રોજ ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર રાધેશ્યામજી, વહીવટી અધિકારી તરીકે બલવંતસિંહ ચૌહાણ, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ પી.નાડોદા, સાઉથ ઝોન કોર્ડીનેટર શ્રીમતી પ્રીતિ પાંડે, ડોક્ટર કલ્પેશ જોશી, ઉમિયા સોશિયલ ગૃપનાં કેપ્ટન અશોકભાઈ પટેલ, વલસાડ જિલ્લા યોગ-કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા, યોગ કોચ તેમજ યોગ ટ્રેનરો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

Leave a Comment