April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે તા.૨૦મી મે ના રોજ આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં વલસાડના પ્રબુદ્ધ નાગરિકો, સાધકો, ટ્રેનરો સહિત અંદાજે ૧૩૫૦ નાગરિકો જોડાયા હતા. આ શિબિરમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૩ ની ઉજવણીનાં ભાગરૂપે નાગરિકો યોગ સાથે જોડાઈ એ માટે યોગ સાધકો દ્વારા એક યોગ જાગરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ જાગરણ રેલીને વલસાડના નિવાસી અધિક કલેકટર શ્રીમતી એ.આર.જહા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી આરપીએફ ગ્રાઉન્ડ થી શરૂ થઇ ડી.એસ.પી કચેરી થઇ પરત આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૧ જુન ૨૦૨૩ ના રોજ ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર રાધેશ્યામજી, વહીવટી અધિકારી તરીકે બલવંતસિંહ ચૌહાણ, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ પી.નાડોદા, સાઉથ ઝોન કોર્ડીનેટર શ્રીમતી પ્રીતિ પાંડે, ડોક્ટર કલ્પેશ જોશી, ઉમિયા સોશિયલ ગૃપનાં કેપ્ટન અશોકભાઈ પટેલ, વલસાડ જિલ્લા યોગ-કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા, યોગ કોચ તેમજ યોગ ટ્રેનરો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

વલવાડામાં પતિએ કરેલી પત્‍નીની હત્‍યા

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment