September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ


ખેડૂતોનો એક જ અવાજ : પાવરગ્રીડ તરફથી વળતર નહી ચુકવા યતો ખેતરમાં પગ નહી મુકવા દઈએ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા 440 કે.વી. અને 765 કે.વી. હાઈટેન્‍શન લાઈન નાખવાની વલસાડ જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોની જમીન આવી રહી છે તેના વળતર માટે તાજેતરમાં મિટિંગ યોજાઈ હતી.
ગાઝેબો પાર્ટી પ્‍લોટ તિઘરા ખાતે નવસારીના સી.એ. વિનોદભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. જેમાં અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. મિટિંગમાં વિનોદભાઈએ જણાવ્‍યું હતું કે, હાલમાં જંત્રી મુજબ અપાતું વળતર બોગસ હોવાનું જણાવી તેમણે એક્‍સપ્રેસ વેમાં મળેલ વળતર ગણતરી લઈ તેના બમણા કરી 100 ટકા સોલેશિયમ વળતરગણતરી કરી 85 ટકા મળવા જોઈએ. વિવિધ કાયદાકીય માહિતી તેમણે પાવરગ્રીડના અધિખારી દિલીપભાઈ કસ્‍તુરીને આપી હતી. ખેડૂતોએ નક્કી કર્યું હતું કે, જ્‍યાં સુધી પાવરગ્રીડ તરફથી વળતર ચુકવવામાં નહી આવે ત્‍યાં સુધી ખેડૂતો ખેતરમાં પગ મુકવા દેશે નહીં. ભારતીય કિસાન સંઘ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ અને કિરણભાઈએ ધારદાર દલીલો કરી હતી. મિટિંગમાં વલસાડ જિલ્લા પાવરગ્રીડ ટ્રાન્‍સમિશન અસરગ્રસ્‍ત સમન્‍વય સમિતિની પણ રચના કરવામાં આવી હતી.

Related posts

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment