Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્‍મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી છે. શ્રી રાકેશભાઈ રાયે જાહેર જીવનમાં રાજકીય સાથેસામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળ્‍યા છે એમણે ભૂતકાળમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થાય એવી ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે પણ એમના જન્‍મદિવસ નિમિત્તે દિવ્‍યાંગ અને લાચાર વ્‍યક્‍તિઓની મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું છે. સરીગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને પાંચ ટ્રાઈસીકલ અને એક વીલ ચેર ની ભેટ આપી જરૂરિયાત મંદ વ્‍યક્‍તિઓના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ ઉપરાંત પુનાટ ખાતેના અખંડાનંદ આશ્રમમાં જઈ ગુરુના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આશ્રમમાં ભોજનની વ્‍યવસ્‍થા માટે 300 કિલો અનાજ અને ખાઘ સામગ્રીનું વિતરણ કરી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment