July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્‍મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી છે. શ્રી રાકેશભાઈ રાયે જાહેર જીવનમાં રાજકીય સાથેસામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળ્‍યા છે એમણે ભૂતકાળમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થાય એવી ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે પણ એમના જન્‍મદિવસ નિમિત્તે દિવ્‍યાંગ અને લાચાર વ્‍યક્‍તિઓની મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું છે. સરીગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને પાંચ ટ્રાઈસીકલ અને એક વીલ ચેર ની ભેટ આપી જરૂરિયાત મંદ વ્‍યક્‍તિઓના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ ઉપરાંત પુનાટ ખાતેના અખંડાનંદ આશ્રમમાં જઈ ગુરુના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આશ્રમમાં ભોજનની વ્‍યવસ્‍થા માટે 300 કિલો અનાજ અને ખાઘ સામગ્રીનું વિતરણ કરી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપરથી ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ-ઘરેણા લઈ શિકારની શોધમાં નિકળેલી ગેંગઝડપાઈ

vartmanpravah

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે યુવા હિન્દુ સંમેલનનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

Leave a Comment