(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી છે. શ્રી રાકેશભાઈ રાયે જાહેર જીવનમાં રાજકીય સાથેસામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળ્યા છે એમણે ભૂતકાળમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થાય એવી ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે પણ એમના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ અને લાચાર વ્યક્તિઓની મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું છે. સરીગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને પાંચ ટ્રાઈસીકલ અને એક વીલ ચેર ની ભેટ આપી જરૂરિયાત મંદ વ્યક્તિઓના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ ઉપરાંત પુનાટ ખાતેના અખંડાનંદ આશ્રમમાં જઈ ગુરુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આશ્રમમાં ભોજનની વ્યવસ્થા માટે 300 કિલો અનાજ અને ખાઘ સામગ્રીનું વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.