Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્‍મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી છે. શ્રી રાકેશભાઈ રાયે જાહેર જીવનમાં રાજકીય સાથેસામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળ્‍યા છે એમણે ભૂતકાળમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થાય એવી ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે પણ એમના જન્‍મદિવસ નિમિત્તે દિવ્‍યાંગ અને લાચાર વ્‍યક્‍તિઓની મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું છે. સરીગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને પાંચ ટ્રાઈસીકલ અને એક વીલ ચેર ની ભેટ આપી જરૂરિયાત મંદ વ્‍યક્‍તિઓના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ ઉપરાંત પુનાટ ખાતેના અખંડાનંદ આશ્રમમાં જઈ ગુરુના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આશ્રમમાં ભોજનની વ્‍યવસ્‍થા માટે 300 કિલો અનાજ અને ખાઘ સામગ્રીનું વિતરણ કરી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

vartmanpravah

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

Leave a Comment