April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

મંદિરની ધજા બદલાય એનો સંઘમાં ઉત્‍સવ થાય ઘરમાં સ્‍વભાવ બદલીએ તો મહોત્‍સવ થાય : આ. યશોવર્મસુરિજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સુખી થવા માટે કંઈ ઘર બદલવાની જરૂર નથી માત્ર થોડોક સ્‍વભાવ બદલી દઈએ તોય આપણે નહીં આપણું આખું ઘર સુખી થઈ શકે. સુગંધ ભર્યા ફૂલ જેવો સ્‍વભાવ બનાવો જે સ્‍વયં મહેકે ને જ્‍યાં જાય ત્‍યાં મહેકાવે સંઘ; સમાજ; દેશ; સંસ્‍થા; ગ્રુપને પક્ષની એકતા માટે પારિવારિક સંપને તોહ માટે સ્‍વભાવ મધુર હોવો અનિવાર્ય છે. મધુરતા એ મોહકતાનો મંત્ર છે, મધુરતા હોય ત્‍યાં રોજ રોજ ઉત્‍સવ ને મહોત્‍સવહોય.
ગુજરાત રાજ્‍યના સૌ પ્રથમ શહેર ઉમરગામ શહેર સ્‍ટેશન રોડ સોલસુબાના અત્‍યંત જાજરમાન દિવ્‍ય અને ભવ્‍ય જૈન દેરાસરના 23 માં સાલગીરી ઉત્‍સવમાં સમસ્‍ત નગરજનોની વિનંતી સ્‍વીકારી જૈન શાસનના સમર્થ મહાપુરુષ પૂજ્‍યપાદ આચાર્ય ભગવંત પ્રભાવક ગુરુદેવ શ્રી યશોવસૂરીશ્વરજી મહારાજા પોતાના વિશાળ સાધુ સાધ્‍વીજીને આચાર્યનો સમુદાય લઈ પધાર્યા. તેથી સમસ્‍ત રાળ પટ્ટીમાં આનંદ છવાયો છે. શ્રી આદેશ્વર દાદાની તેજોમય ને શ્વેત દૂધ જેવી પ્રભુ પ્રતિમા મૂળ નાયક રૂપે બિરાજે એના અદભુત કલા કોતરણીથી દેદીપ્‍યમાન જિનાલયના શિખરે ધજા ચડી ત્‍યારે ગામે ગામના શહેરના અને રાજ્‍યના ભાવિકો ઉમટયા હતા તે મન મૂકીને નાચ્‍યા હતા. ને સોનામાં સુગંધ ઉમરગામના ભાણેજ આચાર્ય જેમની પ્રેરણાથી નિર્માણ પામેલા ને અંજન પ્રતિષ્ઠાચાર્ય શ્રી યશોવર્મસુરિશ્વરજી મહારાજા પધારતા સૌનો આનંદ આસમાને પહોંચ્‍યો હતો. આખુય રાળપટ્ટી હેલે ચડ્‍યું હતું. આવતા વર્ષની સાલગીરીની ધજાના યાદગાર ચડાવવા થયા હતા ને ચાતુર્માસનો પ્રવેશ 1 જુલાઈના થવાનો છે અને ચાતુર્માસિક લાભની યોજના મુકાતા ધડા ધડ લાભો લેવાયા હતા. જબરજસ્‍ત ઉત્‍સાહ અને ઉલ્લાસનો માહોલ જામ્‍યો હતો. ત્રિદિવસીય ઉત્‍સવની ભવ્‍ય ઉજવણી થઈ હતી.
આજે ભીલાડ ગુરુપુષ્‍ય માંગલિક જાપ બપોરે 2.30 ક. જૈન દેરાસરમાં તા.26/27સવારે 7:30 ક. પ્રવચન તા. 28/29 સરીગામ 30 સનસીટી ગૌતમ લબ્‍ધી ધર્મ સંકુલમાં ભવ્‍ય શિખરબંધી જિનાલયનું ભૂમિ પૂજન થશે.

Related posts

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment