Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વહેલી સવારે પારડી હાઈવે સ્‍થિત રોહિત ખાડી પાસે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માત: મુંબઈ તરફના ટ્રેક પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી નેશનલ હાઈવે નંબર 48 ના મુંબઈ તરફ જવાનાં ટ્રેક પર રાત્રીના અઢી ત્રણ વાગ્‍યેના સુમારે રોહિત ખાડીના બ્રિજ નજીક ડમ્‍પર નંબર ડીડી-01-એલ-9945 ના પાછળ કન્‍ટેનર નંબર જીજે-15-એવી-6809 ધડાકાભેર ઘુસી જતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કન્‍ટેનરના કેબીનના ભાગનો ભુક્કો વળી ગયો હતો, સદ નસીબે જેમાં ડમ્‍પર અને કન્‍ટેનરમાં સવાર ચાલકોનો બચાવ થયો હતો. આ અકસ્‍માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટના સ્‍થળે પોલીસની ટીમ પહોંચી અકસ્‍માત થયેલા વાહનોને સાઈડે કરવા ત્રણ-ત્રણ ક્રેન ઘટના સ્‍થળે મંગાવી ટ્રાફિક જામ હળવો કરવાની મઠામણ હાથ ધરી હતી.
આ દરમિયાન સુરત કતારગામથી 11 જેટલાં લોકો ટેમ્‍પો ટ્રાવેલ્‍સ નંબર જીજે-05-બીવી-7806 માં સવાર થઈ મુંબઈ એસેલ વર્લ્‍ડ જઈ રહ્યા હતા. જેઓ પારડી હાઈવે પર તુલસી હોટલ આગળ ટ્રાફિક જામમાં ફસાયા હતા પરંતુ તેમના પાછળ બેફામ આવેલા ટેમ્‍પા નંબર ડીડી-01-ઈ-9718 ના ચાલકે ટેમ્‍પો ટ્રાવેલ્‍સને પાછળથી અથડાવી દેતા તે વાહન આગળ ચાલતા અન્‍ય એક ટેમ્‍પો નંબર જીજે-7-યુયુ-5051 પાછળ ઘુસી જતા વિચિત્ર અકસ્‍માત સર્જાયોહતો. આ અકસ્‍માતમાં ટેમ્‍પો ટ્રાવેલ્‍સને ભારે નુકશાન પહોંચ્‍યું હતું અને જેમાં સવાર સુરતના 11 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમને વલસાડ અને પારડીની 108 મારફતે પારડી કુરેશી હોસ્‍પિટલ ખસેડાયા હતા.
જોકે રાત્રીના પારડી હાઈવે પર રોહિત ખાડી અને તુલસી હોટલ નજીક થયેલા અકસ્‍માતને પગલે મુંબઈ તરફનો હાઈવે જામ રહ્યો હતો અને રોહિત ખાડી આગળના અકસ્‍માત થયેલા ડમ્‍પર અને કનેન્‍ટરને સાઈડે કરવામાં ભારે પોલીસને મુશ્‍કેલી પડી હતી. અને ત્રણ-ત્રણ ક્રેન ઘટના સ્‍થળે મંગાવી છતાં જલ્‍દી મોટા વાહનો સાઇડે થયાં ન હતા. વહેલી સવારે પણ ટ્રાફિક જામ રહ્યો હતો.

Related posts

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

Leave a Comment