(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણ અને દીવમાં અભૂતપૂર્વ વિકાસકામો કર્યા હોવા છતાં જનતાએ મત નથી આપ્યા. તેમણે જણાવ્યું હતું કે,દમણમાં તેમની સરસાઈ હતી પરંતુ દીવથી મળેલા નબળા પ્રતિસાદના કારણે તેમનો પરાજય થયો છે. તેમણે દમણ અને દીવના લોકોએ 15 વર્ષ સુધી સેવા કરવા આપેલી તક બદલ આભાર પ્રગટ કર્યો હતો.