Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેર અને વાપીમાં ઉનાળાની ગરમીના સમયમાં આગ લાગવાના બનાવોમાં સરેરાશ વધારો થતો જોવા મળ્‍યો છે. આજે શુક્રવારે વલસાડ શહેરના એક જ્‍યુસ સેન્‍ટરમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં આવેલ ગાંધી લાયબ્રેરી સામે કાર્યરત જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ પકડી લીધું હતું. લોકોએ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવેલ અને તાબડતોડ આગ બુઝાવવાની જાહેરાત આરંભી દીધી હતી. એકાદ કલાકમાં આગ પર કાબુ કરી લેવાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ જ્‍યુસ સેન્‍ટર આખું બળીને ખાખ થઈ ગયું હતું. અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

Related posts

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

Leave a Comment