Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેર અને વાપીમાં ઉનાળાની ગરમીના સમયમાં આગ લાગવાના બનાવોમાં સરેરાશ વધારો થતો જોવા મળ્‍યો છે. આજે શુક્રવારે વલસાડ શહેરના એક જ્‍યુસ સેન્‍ટરમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં આવેલ ગાંધી લાયબ્રેરી સામે કાર્યરત જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ પકડી લીધું હતું. લોકોએ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવેલ અને તાબડતોડ આગ બુઝાવવાની જાહેરાત આરંભી દીધી હતી. એકાદ કલાકમાં આગ પર કાબુ કરી લેવાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ જ્‍યુસ સેન્‍ટર આખું બળીને ખાખ થઈ ગયું હતું. અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

Related posts

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment