(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસથી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલથી એક વ્યક્તિ પર હુમલાના સંદર્ભે મેડિકલ કોલના આધારે ફરિયાદી મંગલ રાજવંશ પ્રજાપતિ રહેવાસી આમલી મંદિર ફળિયામાં જેઓ 25મે ના રોજ રાત્રે નવ વાગ્યાના સુમારે એમના મિત્રોને મળવા મસ્જીદ ફળિયામાં ગયો હતો ત્યાં મોઢુ ઢાકેલ અવસ્થામાં આઠ લોકો એના મિત્રના રૂમ તરફ આવી અને એને ખેંચી ઘરમાંથી બહાર લઈગયા ફરિયાદીને લાઠી ડંડા વડે મારવાનુ શરુ કર્યું હતું જેમાં એના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ફરિયાદીની મહિલા મિત્રએ હસ્તક્ષેપ કર્યો તો એને પણ મારવામાં આવી હતી. હુમલો કરનાર લોકોએ ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઇન પણ તોડી લીધી હતી અને દસ હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટના અંગે સેલવાસ પોલીસે આઇપીસી 143,147,148,149,354એ,395,452મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.જી.રાજગરને સોંપવામાં આવી હતી. એસએચઓ શ્રી અનિલ ટી.કે. અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ શ્રી હરેશસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ટીમ બનાવી સૂત્રો અને ટેકનિકલના માધ્યમથી તપાસ દરમ્યાન પાંચ આરોપીઓ દેવાશીષ ઉર્ફે દીપ સુનિલ બેડસે (ઉ.વ.19) રહે. રૂમ નં. 7, અમૃત નિવાસ, ઝંડાચોક સેલવાસ., ચંદન ગોવિંદ યાદવ (ઉ.વ.19) રહે. વૃંદાવન, ડોકમરડી., અનિકેત સુનિલ ગુપ્તા (ઉ.વ.20) રહે. મજદૂર કોલોની, આમલી., દીપ દિનેશભાઇ કહારગે (ઉ.વ.19) રહે. પ્રમુખ વીલા, સિરકેવાડી, સેલવાસ., સુરજ રામરામ કનોજિયા (ઉ.વ.23) રહે. જયંતીભાઈની ચાલ મસ્જીદ પાછળ સેલવાસની ધરપકડકરી છે આ અંગે વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.