April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્‍યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લાપંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં રીંગણવાડા સરકારી પ્રાથમિક વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્‍યું હતું કે, આપણે આસપાસની ખાલી જમીનો ઉપર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મિટના પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

Leave a Comment