April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

વી.આઈ.એ.ને પણ તાકીદે સ્‍કેપ ડુંગરા-કરવડના ભંગાર ગોડાઉનમાં ન મોકલવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં છેલ્લા બે સપ્તાહથી ભંગારના ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવોને ધ્‍યાને લઈ જી.પી.સી.બી. પણ એકશન મોડમાં આવી છે. ભંગારના ગોડાઉનોની પરવાનગી અંગેની નકલો જી.પી.સી.બી.એ મંગાવી છે.
ગુજરાત પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ વાપી દ્વારા એક લેખિત સરક્‍યુલર ચીફ ઓફિસર વાપીનગરપાલિકા, સરપંચશ્રી કરવડ ગ્રામ પંચાયત, વી.આઈ.એ.માં પાઠવાયો છે અને જણાવાયું છે કે, પંચાયત કે પાલિકા દ્વારા ભંગાર ગોડાઉનો અંગે માલિકી પરવાનગી આપવામાં આવી હોય તેની નકલ જી.પી.સી.બી.ની ઓફિસમાં જમા કરાવવાની તાકીદ કરાઈ છે. તેમજ વી.આઈ.એ.ને જણાવાયું કે સ્‍ક્રેપ ભંગારના ગોડાઉનમાં નહી મોકલવાની ગોઠવણ કરવા જણાવ્‍યું છે. જે જે ગોડાઉનોમાં આગે લાગી છે, કોઈ માલિકીની જમીન છે તેમજ પંચાયત કે પાલિકા દ્વારા પરવાનગી અપાયેલ હોય તો તેની નકલ જી.પી.સી.બી.માં રજૂ કરવી. વી.આઈ.એ. ડુંગરાના ભંગારીયાઓને સ્‍ક્રેપ ન મોકલે તેની જાણ ઉદ્યોગપતિઓને કરે. જી.પી.સી.બી. પોલિસ, પંચાયત અને વી.આઈ.એ. વધુ જાગૃકતા દાખવે તો આગના બનાવો જરૂર અટકાવી શકાય.

Related posts

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

Leave a Comment