વી.આઈ.એ.ને પણ તાકીદે સ્કેપ ડુંગરા-કરવડના ભંગાર ગોડાઉનમાં ન મોકલવા જણાવાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી ભંગારના ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવોને ધ્યાને લઈ જી.પી.સી.બી. પણ એકશન મોડમાં આવી છે. ભંગારના ગોડાઉનોની પરવાનગી અંગેની નકલો જી.પી.સી.બી.એ મંગાવી છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વાપી દ્વારા એક લેખિત સરક્યુલર ચીફ ઓફિસર વાપીનગરપાલિકા, સરપંચશ્રી કરવડ ગ્રામ પંચાયત, વી.આઈ.એ.માં પાઠવાયો છે અને જણાવાયું છે કે, પંચાયત કે પાલિકા દ્વારા ભંગાર ગોડાઉનો અંગે માલિકી પરવાનગી આપવામાં આવી હોય તેની નકલ જી.પી.સી.બી.ની ઓફિસમાં જમા કરાવવાની તાકીદ કરાઈ છે. તેમજ વી.આઈ.એ.ને જણાવાયું કે સ્ક્રેપ ભંગારના ગોડાઉનમાં નહી મોકલવાની ગોઠવણ કરવા જણાવ્યું છે. જે જે ગોડાઉનોમાં આગે લાગી છે, કોઈ માલિકીની જમીન છે તેમજ પંચાયત કે પાલિકા દ્વારા પરવાનગી અપાયેલ હોય તો તેની નકલ જી.પી.સી.બી.માં રજૂ કરવી. વી.આઈ.એ. ડુંગરાના ભંગારીયાઓને સ્ક્રેપ ન મોકલે તેની જાણ ઉદ્યોગપતિઓને કરે. જી.પી.સી.બી. પોલિસ, પંચાયત અને વી.આઈ.એ. વધુ જાગૃકતા દાખવે તો આગના બનાવો જરૂર અટકાવી શકાય.