April 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પરિવારના વડીલ સ્‍વ.દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીના મૃત્‍યુના ચક્ષુદાન બાદ પ્રાથના સભા દરમ્‍યાન પણ રક્‍તદાનકેમ્‍પનું આયોજન કરી સ્‍વર્ગસ્‍થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેમ્‍પ દરમ્‍યાન પારડી બ્‍લડ બેન્‍કના સહયોગથી 50 જેટલા યુનિટ બ્‍લડ એકત્રિત કર્યું. આવનારા દિવસોમાં સ્‍વર્ગસ્‍થની ધાર્મિકવિધિ દરમ્‍યાન પણ રક્‍તદાન કેમ્‍પ જારી રહેશે એમ જણાવતા કુટુંબીજનો.


કિલ્લા પારડીના રહેવાસી, પાટીદાર અગ્રણી અને પાર્વતી સો મિલ તરીકે ઓળખાતી પ્રખ્‍યાત પેઢીના વડીલ દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીનું ગત તારીખ 5 જૂનના રોજ આકસ્‍મિક અવસાન થયું. જેમની આજરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍વ.દામજીભાઈના મૃત્‍યુ દિને એમના પરિવારજનોએ સ્‍વર્ગસ્‍થનું ચક્ષુ દાન કરી જરૂરિયાતમંદ બે વ્‍યક્‍તિઓને દેખતા કર્યા. આવી સેવાકીય પ્રવૃત્તિને વરેલા સ્‍વ.દામજીભાઈના પરિવારજનો શ્રી વાલજીભાઈ, શિવદાસભાઈ, રવજીભાઈ, હિતેશભાઈ, લલિતભાઈ, જીતેન્‍દ્રભાઈ, યોગેશભાઈ, ભાવિકભાઈ, પુરષોત્તમભાઈ, શ્રી કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ પાર્વતી સો મિલ પરિવારે સર્વ સમાજને ઉદાહરણરૂપ કાર્ય કર્યું. પારડી બ્‍લડ બેન્‍કના સહકારથી આજરોજ પ્રાર્થના સભાના દિવસે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કર્યું. જેમાં 50 જેટલા યુનિટ એકત્રિત કર્યા. તમામ રક્‍તદાતાઓને સંભારણા રૂપે વનસ્‍પતિનો રોપો તથા છત્રી ભેટ આપવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સ્‍વર્ગસ્‍થની ધાર્મિક વિધિના દિવસોમાં પણ રક્‍તદાન ચાલુ રહેશેએમ જણાવી વધુ યુનિટો બ્‍લડ બેન્‍કને મળશે એવું જણાવ્‍યું.
હાલમાં તમામ બ્‍લડ બેન્‍કમાં બ્‍લડની અછત પડી રહી છે ત્‍યારે કિલ્લા પારડીના પાર્વતી સો મિલ પરિવાર દ્વારા સમાજને નવી રાહ દેખાડતી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

Related posts

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

Leave a Comment