April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

નબળી આર્થિક પરિસ્‍થિતિ, અજ્ઞાનતા અને લાચારીનો લાભ લઈ ભૂ-માફિયાઓએ ધાક ધમકી અને કાવા દાવા વાપરી પચાવી પાડેલી જમીન સામે ન્‍યાય માંગવા ભોગ બનેલા જમીનદારોએ મામલતદાર કચેરીએ આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે માહ્યાવંશી સમાજના જમીનદારો ભૂ-માફિયાના પ્રકોપના કારણે જમીન વિહોણા બનવા તરફ જઈ રહ્યા છે. અજ્ઞાનતા અને આર્થિક રીતે નબળી પરિસ્‍થિતિનો તેમજ માથાભેર ઈસમોનો સામનો નહીં કરી શકે એવાકમજોર વ્‍યક્‍તિઓએ એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્‍યું હતું. અને એમની સાથે થઈ રહેલા જોર જુલમ, ધાક ધમકી સામે રક્ષણ આપી ન્‍યાય કરવા જણાવ્‍યું હતું.
એમના દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ઘટનાઓ ચોંકાવનારી છે. જે જોતા એક ઘટનામાં મૂળ જમીન માલિક સ્‍વ.નાનજી કાળીયા સુરતી છે. જેમના નામે ચાલી આવતી અઢી એકર જમીન પર વિનોદભાઈ સુરતી અને એમના મળતીઓની દાનત બગડતા વિનોદભાઈના કાકા જેમનું નામ નાનજી કાલિદાસ સુરતી છે, જે જમીન માલિક સાથે મળતું આવતું હોય એનો લાભ લઈ મૂળ વારસદારોને હટાવી દઈ ખોટા વારસદારોએ પ્રવેશ કરી જમીનના કાગળો ઉપર માલિકી હક મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ જમીન મૂળ માલિકે દસ્‍તાવેજથી ખરીદી હતી તે સમયે બનાવટી માલિકનો જન્‍મ પણ થયો ન હતો એવું સ્‍કૂલના બોનોફાઈડ સર્ટિફિકેટ ઉપરથી પ્રમાણિત થઈ રહ્યું છે. જેથી આ ઘટનામાં ફોજદારી રાહે પણ તપાસ થવી જોઈએ એવું જણાઈ રહ્યું છે.
બીજી ઘટનામાં નગીનભાઈ શંકરભાઈ સુરતી અને એમના ભાઈઓની દસ્‍તાવેજથી ખરીદ કરવી જમીન પર શાંતીબેન માહ્યાવંશીની ખોટી વારસાઈ કરી સીધી લીટીમાં આવતા વારસદારોને હટાવી દઈ જમીનના કાગળો ઉપર નામ ચડાવી ગેરરીતી આચરી હોવાનું જાણવા મળી રહ્યુંછે.
ત્રીજી ઘટનામાં ભંગિયા ઉકળના નામે ચાલી આવતી જમીન ઉપર મૂળ વારસદારોને હટાવી ખોટી વારસાઈ કરી જમીન પચાવી પાડી છે.
આ સમગ્ર ઘટનાઓની ફરિયાદ કરવા છતાં ન્‍યાયમાં વિલંબ થતા આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. ફરિયાદીઓને ન્‍યાય મળવામાં વિલંબ થશે તો સમગ્ર પ્રકરણ અનુસૂચિત આયોગમાં કરવામાં આવશે એવી ગતિવિધિ જોવા મળી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

Leave a Comment