Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

નબળી આર્થિક પરિસ્‍થિતિ, અજ્ઞાનતા અને લાચારીનો લાભ લઈ ભૂ-માફિયાઓએ ધાક ધમકી અને કાવા દાવા વાપરી પચાવી પાડેલી જમીન સામે ન્‍યાય માંગવા ભોગ બનેલા જમીનદારોએ મામલતદાર કચેરીએ આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે માહ્યાવંશી સમાજના જમીનદારો ભૂ-માફિયાના પ્રકોપના કારણે જમીન વિહોણા બનવા તરફ જઈ રહ્યા છે. અજ્ઞાનતા અને આર્થિક રીતે નબળી પરિસ્‍થિતિનો તેમજ માથાભેર ઈસમોનો સામનો નહીં કરી શકે એવાકમજોર વ્‍યક્‍તિઓએ એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્‍યું હતું. અને એમની સાથે થઈ રહેલા જોર જુલમ, ધાક ધમકી સામે રક્ષણ આપી ન્‍યાય કરવા જણાવ્‍યું હતું.
એમના દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ઘટનાઓ ચોંકાવનારી છે. જે જોતા એક ઘટનામાં મૂળ જમીન માલિક સ્‍વ.નાનજી કાળીયા સુરતી છે. જેમના નામે ચાલી આવતી અઢી એકર જમીન પર વિનોદભાઈ સુરતી અને એમના મળતીઓની દાનત બગડતા વિનોદભાઈના કાકા જેમનું નામ નાનજી કાલિદાસ સુરતી છે, જે જમીન માલિક સાથે મળતું આવતું હોય એનો લાભ લઈ મૂળ વારસદારોને હટાવી દઈ ખોટા વારસદારોએ પ્રવેશ કરી જમીનના કાગળો ઉપર માલિકી હક મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ જમીન મૂળ માલિકે દસ્‍તાવેજથી ખરીદી હતી તે સમયે બનાવટી માલિકનો જન્‍મ પણ થયો ન હતો એવું સ્‍કૂલના બોનોફાઈડ સર્ટિફિકેટ ઉપરથી પ્રમાણિત થઈ રહ્યું છે. જેથી આ ઘટનામાં ફોજદારી રાહે પણ તપાસ થવી જોઈએ એવું જણાઈ રહ્યું છે.
બીજી ઘટનામાં નગીનભાઈ શંકરભાઈ સુરતી અને એમના ભાઈઓની દસ્‍તાવેજથી ખરીદ કરવી જમીન પર શાંતીબેન માહ્યાવંશીની ખોટી વારસાઈ કરી સીધી લીટીમાં આવતા વારસદારોને હટાવી દઈ જમીનના કાગળો ઉપર નામ ચડાવી ગેરરીતી આચરી હોવાનું જાણવા મળી રહ્યુંછે.
ત્રીજી ઘટનામાં ભંગિયા ઉકળના નામે ચાલી આવતી જમીન ઉપર મૂળ વારસદારોને હટાવી ખોટી વારસાઈ કરી જમીન પચાવી પાડી છે.
આ સમગ્ર ઘટનાઓની ફરિયાદ કરવા છતાં ન્‍યાયમાં વિલંબ થતા આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. ફરિયાદીઓને ન્‍યાય મળવામાં વિલંબ થશે તો સમગ્ર પ્રકરણ અનુસૂચિત આયોગમાં કરવામાં આવશે એવી ગતિવિધિ જોવા મળી રહી છે.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

Leave a Comment