Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્‍સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની એક ઘટનાની ચર્ચા તેજ થવા પામી છે.
ઉમરગામ પાલિકામાં વર્ષ 2020 તથી 2021માં બાંધકામ શાખામાં 11 માસ કરાર આધારીત ફરજ બજાવી ગયેલા ઈજનેર શ્રી પ્રશાંત એમ. માછીનો કાર્યકાળ ભારે વિવાદીત રહ્યો હતો. કામગીરીમાં ફરજ પ્રત્‍યે બેદરકારી તથા કામોમાં અણઆવડત વગેરે આરોપોનો સામનો કરવા પડયો હતો અને એના પરીણામે ગુજરાત તકેદારી આયોગમાં 2 પ્રકરણો અંગે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રકરણની જાણકારી તાત્‍કાલિન ચીફ ઓફિસરે મહેકમ શાખાને તારીખ 21-3-2023 ના રોજ જાવક નંબર 202 ના પત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવે ઉમરગામ પાલિકામાં વહીવટ અને કારભારમાં અગ્રેસરની ભૂમિકા બજાવતા કેટલાક આગેવાનો આ વિવાદીત ઈજનેરને ફરી ફરજ ઉપર લાવવા દબાણ તેમજ કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. જે ગતિવિધિ જોતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

Related posts

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની ટીમે મહારાષ્ટ્રના ડહાણુ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનોદ સુરેશ મેઢાની તરફેણમાં શરૂ કરેલો પ્રચાર

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

Leave a Comment