July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્‍સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની એક ઘટનાની ચર્ચા તેજ થવા પામી છે.
ઉમરગામ પાલિકામાં વર્ષ 2020 તથી 2021માં બાંધકામ શાખામાં 11 માસ કરાર આધારીત ફરજ બજાવી ગયેલા ઈજનેર શ્રી પ્રશાંત એમ. માછીનો કાર્યકાળ ભારે વિવાદીત રહ્યો હતો. કામગીરીમાં ફરજ પ્રત્‍યે બેદરકારી તથા કામોમાં અણઆવડત વગેરે આરોપોનો સામનો કરવા પડયો હતો અને એના પરીણામે ગુજરાત તકેદારી આયોગમાં 2 પ્રકરણો અંગે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રકરણની જાણકારી તાત્‍કાલિન ચીફ ઓફિસરે મહેકમ શાખાને તારીખ 21-3-2023 ના રોજ જાવક નંબર 202 ના પત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવે ઉમરગામ પાલિકામાં વહીવટ અને કારભારમાં અગ્રેસરની ભૂમિકા બજાવતા કેટલાક આગેવાનો આ વિવાદીત ઈજનેરને ફરી ફરજ ઉપર લાવવા દબાણ તેમજ કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. જે ગતિવિધિ જોતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

Leave a Comment