April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

હાઈસ્‍પીડ રેલ કોરીડોર ઉપર અગાઉ 28 સિસ્‍મોમીટર લગાવવામાં આવેલા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની તેજ ગતિમાં કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સલામતિ માટે પવનની ગતિવિધિ જાણવા માટે આ પ્રોજેક્‍ટમાં 14 પુલો ઉપર મોનિટરીંગ સિસ્‍ટમ લગાવાઈ છે.
બુલેટ ટ્રેન દરિયા કિનારાના પ્રદેશ પヘમિ ભાગ નજીકથી પસાર થાય છે. તેથી પવનની ગતિ જાણવા અને ટ્રેન ઉપર આડ અસર ઉભી થાય, ટ્રેનને પ્રભાવિત કરે જેથી મુસાફરોની સલામતિ પ્રભાવિત થાય તે ધ્‍યાને લઈને ચિંતાના નિવારણ માટે વાયડક્‍ટ પર એનોમિટર લગાવવા માટે 14 સ્‍થળોની પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતના 9 અને મહારાષ્‍ટ્રમાં 5 મળી 14 ઉપકરણો નદીના પુલો અને પવનગ્રસ્‍ત વિસ્‍તારો ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. ઓપરેશન કન્‍ટ્રોલ સેન્‍ટર વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત એનોમિટર મારફતે પવનની ગતિ ઉપર નજર રાખશે. એનોમિટર એ આપત્તિ નિવારણ પધ્‍ધતિનો એક પ્રકાર છે. જેથી 360 ડિગ્રી ફેલાયેલ 0.252 કીલોમીટર પ્રતિકલાક રેન્‍જમાં વાસ્‍તવિક સમયની પવન ગતિનો ડેટા પુરો પાડવા માટે ડિઝાઈન કરાયેલ છે. પવનની ગતિ મુજબ ટ્રેનનીગતિમાં ફેરફાર કરવામાં આવશે.

Related posts

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

Leave a Comment