March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

હાઈસ્‍પીડ રેલ કોરીડોર ઉપર અગાઉ 28 સિસ્‍મોમીટર લગાવવામાં આવેલા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની તેજ ગતિમાં કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સલામતિ માટે પવનની ગતિવિધિ જાણવા માટે આ પ્રોજેક્‍ટમાં 14 પુલો ઉપર મોનિટરીંગ સિસ્‍ટમ લગાવાઈ છે.
બુલેટ ટ્રેન દરિયા કિનારાના પ્રદેશ પヘમિ ભાગ નજીકથી પસાર થાય છે. તેથી પવનની ગતિ જાણવા અને ટ્રેન ઉપર આડ અસર ઉભી થાય, ટ્રેનને પ્રભાવિત કરે જેથી મુસાફરોની સલામતિ પ્રભાવિત થાય તે ધ્‍યાને લઈને ચિંતાના નિવારણ માટે વાયડક્‍ટ પર એનોમિટર લગાવવા માટે 14 સ્‍થળોની પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતના 9 અને મહારાષ્‍ટ્રમાં 5 મળી 14 ઉપકરણો નદીના પુલો અને પવનગ્રસ્‍ત વિસ્‍તારો ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. ઓપરેશન કન્‍ટ્રોલ સેન્‍ટર વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત એનોમિટર મારફતે પવનની ગતિ ઉપર નજર રાખશે. એનોમિટર એ આપત્તિ નિવારણ પધ્‍ધતિનો એક પ્રકાર છે. જેથી 360 ડિગ્રી ફેલાયેલ 0.252 કીલોમીટર પ્રતિકલાક રેન્‍જમાં વાસ્‍તવિક સમયની પવન ગતિનો ડેટા પુરો પાડવા માટે ડિઝાઈન કરાયેલ છે. પવનની ગતિ મુજબ ટ્રેનનીગતિમાં ફેરફાર કરવામાં આવશે.

Related posts

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment