April 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કર્યો પરંતુ તસ્‍કરો રાત્રીના અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પંથકમાં ગતરાત્રીના સવા બે વાગ્‍યાના સમય દરમ્‍યાન ત્રણ જેટલા ચડ્ડીબનીયાન ધારી તસ્‍કરો ચીખલીના માછીવાડ, વાણિયાવાડમાંથી પસાર થઈ મેઈન બજાર તરફ જઈ રહ્યા હતા. તે દરમ્‍યાન નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલા હોમગાર્ડ જવાનો તેમજ અન્‍ય યુવાનોએ ત્રણેય તસ્‍કરોને પડકારતા ત્રણેય તસ્‍કરોએ ભારે દોડ લગાવી ચીખલી નદી કિનારા વિસ્‍તાર તરફ નાસી જવામાં સફળ રહ્યા હતા. ચીખલી ખાતે ગતરાત્રીએ પોલીસની કોમ્‍બિનગ નાઈટ હોય પોલીસની નાઈટ પેટ્રોલિંગ હોવા છતાં તસ્‍કરો માછીવાડ, વાણિયાવાડ થઈને મેઈન બજારમાં રાત્રીના સમયે પોતાનો કસબ અજમાવે તે પહેલા જ હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી સામે આવી જતા તસ્‍કરો નાસી છૂટયા હતા. ત્રણ જેટલા ડ્રિચક્રીય વાહનો સાથે હોમગાર્ડ જવાનો તેમજ અન્‍ય ઈસમોએ દોડી રહેલા તસ્‍કરોનો પીછો કર્યો હતો. પરંતુ તસ્‍કરો અંધારાનો લાભ લઈ નદી કિનારેથી અંધકારમાં નાસી છૂટયા હતા.
ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્‍કરો રાત્રીના સમયે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગ સધન બનાવવાની જરૂર છે. કેટલીકવાર તો ફરજ પરના કર્મચારીઓ પોતાના પોઈન્‍ટ ઉપર હાજર પણ નથી રહેતા. થોડા દિવસ અગાઉ ચીખલી કોલેજ રોડ સ્‍થિત પોલીસ ક્‍વૉટર્સ પાછળ આવેલ થાલા શિવેચ્‍છા સોસાયટી ખાતે તસ્‍કરો પોતાનો કસબ અજમાવે તે પૂર્વે જ મહિલા જાગી જતાતસ્‍કરો ત્‍યાંથી પણ ફરાર થઈ ગયા હતા. જ્‍યારે બે દિવસ અગાઉ નેશનલ હાઈવે સ્‍થિત મજીગામ દિનકર ભવન ખાતે આવેલ પાર્ટી પ્‍લોટના બે નકુચા તોડી એક રૂમમાં મુકેલ સ્‍ટીલનો કબાટ તસ્‍કરોએ તોડી નાંખ્‍યો હતો. પરંતુ કંઈ હાથ લાગ્‍યું ન હતું. ત્‍યારે લોકોના જાનમાલની સુરક્ષા અંગે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી નાઈટ પેટ્રોલીંગમાં ઉચ્‍ચ અધિકારી સરપ્રાઈઝ વિઝીટ કરે તે જરૂરી રહ્યું છે.

Related posts

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવી

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment