July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્‍તિ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૌરાણિક માન્‍યતા મુજબ 300 વર્ષ પહેલા ચૌહાણ પરિવારની એક દિકરી સતી થતાં તેની પુનિત યાદમાં આ મંદિર બનાવવામાં આવ્‍યું હતું. પહેલા અહીં લાકડાની મૂર્તિનું પૂજન કરાતું હતું. ચૌહાણ પરિવાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધારની પૂજા દરમિયાન કુળદેવી મા કાલિકા, ગણેશજી, હનુમાનજીની સ્‍થાપના કરી પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. પૂજા બાદ ભાવિક ભક્‍તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

Leave a Comment