Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્‍યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા રજૂઆત માટે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અકડાઈ ગયા હતા. એક કલાક કરતા વધુ વિલંબ થી પહોંચેલા વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ નારાજગી સાથે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વારંવાર ખોટકાતો વીજ પુરવઠો અને વિજ વિભાગે ફરિયાદ માટે ઉપલબ્‍ધ કરેલો કમ્‍પ્‍લેન્‍ટ ફોન નંબર ઉપર યોગ્‍ય પ્રતિસાદ મળતો ન હોવાની રજૂઆત કરી હતી. જેના પ્રત્‍યુતરમાં વીજ વિભાગના અધિકારીઓએ સમસ્‍યા હલ કરવાની ખાતરી આપી હતી. અને નજીકના ભવિષ્‍યમાં ફરી ઓપન હાઉસનું આયોજન કરવા માટે જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી શ્રી નીરજભાઈ અને ડીજીવીસીએલની યુઆઈએ તરફથી કામગીરી સંભાળતા શ્રી બીરજુભાઈ લઠ્ઠા અને શ્રી દીપકભાઈ ગુપ્તા વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

Leave a Comment