Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્‍યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા રજૂઆત માટે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અકડાઈ ગયા હતા. એક કલાક કરતા વધુ વિલંબ થી પહોંચેલા વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ નારાજગી સાથે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વારંવાર ખોટકાતો વીજ પુરવઠો અને વિજ વિભાગે ફરિયાદ માટે ઉપલબ્‍ધ કરેલો કમ્‍પ્‍લેન્‍ટ ફોન નંબર ઉપર યોગ્‍ય પ્રતિસાદ મળતો ન હોવાની રજૂઆત કરી હતી. જેના પ્રત્‍યુતરમાં વીજ વિભાગના અધિકારીઓએ સમસ્‍યા હલ કરવાની ખાતરી આપી હતી. અને નજીકના ભવિષ્‍યમાં ફરી ઓપન હાઉસનું આયોજન કરવા માટે જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી શ્રી નીરજભાઈ અને ડીજીવીસીએલની યુઆઈએ તરફથી કામગીરી સંભાળતા શ્રી બીરજુભાઈ લઠ્ઠા અને શ્રી દીપકભાઈ ગુપ્તા વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

વલસાડમાં ને.હા.56 જમીન સંપાદન વિરોધમાં અસરગ્રસ્‍ત ખેડૂતો અને આગેવાનોએ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

Leave a Comment