October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્‍યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા રજૂઆત માટે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અકડાઈ ગયા હતા. એક કલાક કરતા વધુ વિલંબ થી પહોંચેલા વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ નારાજગી સાથે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વારંવાર ખોટકાતો વીજ પુરવઠો અને વિજ વિભાગે ફરિયાદ માટે ઉપલબ્‍ધ કરેલો કમ્‍પ્‍લેન્‍ટ ફોન નંબર ઉપર યોગ્‍ય પ્રતિસાદ મળતો ન હોવાની રજૂઆત કરી હતી. જેના પ્રત્‍યુતરમાં વીજ વિભાગના અધિકારીઓએ સમસ્‍યા હલ કરવાની ખાતરી આપી હતી. અને નજીકના ભવિષ્‍યમાં ફરી ઓપન હાઉસનું આયોજન કરવા માટે જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી શ્રી નીરજભાઈ અને ડીજીવીસીએલની યુઆઈએ તરફથી કામગીરી સંભાળતા શ્રી બીરજુભાઈ લઠ્ઠા અને શ્રી દીપકભાઈ ગુપ્તા વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment