Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ત્રિ-દિવસીય દાનહના પ્રવાસે

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સંવેદનશીલ અને તટસ્‍થ અભિગમથી નરોલીના નાના દુકાનદારો ખુબ જ પ્રભાવિત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આજથી ત્રિ-દિવસીય દાદરા નગર હવેલી યાત્રાનો પ્રારંભ થયોહતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નરોલી ચાર રસ્‍તાથી ભવાની માતા થઈ કનાડી ફાટક સુધીના થઈ રહેલા રસ્‍તાના વિસ્‍તૃતિકરણના સર્વેનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં એક તરફ રોડના એલાઈન્‍મેન્‍ટમાં ફરક દેખાતા પ્રશાસકશ્રીએ પોતે જાતે ગાડીમાંથી ઉતરી સ્‍થળ ઉપર સંબંધિત અધિકારીઓને બંને બાજુ કઈ રીતે સરખું એલાઈન્‍મેન્‍ટ લેવું તેનો નિર્દેશ આપ્‍યો હતો અને તેમની ઉપસ્‍થિતિમાં એલાઈન્‍મેન્‍ટ લેવડાવ્‍યું હતું. આ ઘટનાના સાક્ષી બનેલા ગ્રામજનો પ્રશાસકશ્રીના સંવેદનશીલ અને તટસ્‍થ અભિગમથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને આનંદની લાગણી પ્રગટ કરી હતી. કારણ કે, એક બાજુ લીધેલા વધુ એલાઈન્‍મેન્‍ટના કારણે નાના દુકાનદારોની દુકાનોનો નુકસાન થવાની સંભાવના હતી, તેમાં હવે રાહત મળવાની આશા પેદા થઈ છે.
પ્રશાસકશ્રીએ નરોલી પ્રવેશ દ્વારથી નરોલી પ્રાથમિક કેન્‍દ્ર શાળા, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, અથાલ-લુહારી રોડ, ખરડપાડા પંચાયત ઘર, લુહારી ટુરિઝમ સાઈટ, લુહારી ચેકડેમ અને અથાલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
રાત્રિના લગભગ 8:30 વાગ્‍યા સુધી અધિકારીઓ, કોન્‍ટ્રાક્‍ટરો વગેરેને ખડેપગે રહેવાની ફરજ પડી હતી. પ્રશાસકશ્રીએ દરેક પ્રકલ્‍પનું ખુબ જ બારિકાઈથી નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્‍યા હતા.
આવતી કાલે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો યાત્રી નિવાસ ખાતેના ફલાઈ ઓવર બ્રિજના નિરીક્ષણ સાથે બીજા દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

Related posts

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે તા.૨૪મી જૂનના શુક્રવારના રોજ વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની તમામ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

vartmanpravah

Leave a Comment