April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

વાંકી નદી પુલ પર કાર ટ્રક ભટકાયા, ખડકી હાઈવેપર કારના બે ટાયર ફાટયા, સુગર બ્રિજ ખાડામાં પટકાઈ ટ્રક સાથે અથડાઈ ધસડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. હાઈવે ઉપર પડેલા ખાડાઓ અને પાણી ભરાવના લીધે છેલ્લા 24 કલાકમાં અકસ્‍માતના ત્રણ બનાવો વલસાડથી વાપી વચ્‍ચે હાઈવે ઉપર બન્‍યા છે.

ત્રણ દિવસથી સતત વરસાદ વલસાડ જિલ્લાને ઘમરોળી રહ્યો છે. તેની આડ અસર અને ખાનાની ખરાબીની ભેટ ચોમેર મળી રહી છે. તેમાં નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. ઠેર ઠેર બેસુમાર ખાડા પડી જતા હાઈવે યમદૂત બની જવા જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ખડકી હાઈવે ઉપર પડેલા તોતિંગ ખાડામાં કાર પટકાતા બે ટાયર ફાટી જતા અકસ્‍માત સર્જાયો હતો, તો બીજો બનાવ વાંકી નદી પુલ ઉપર હાઈવે ખાડાને લીધે કાર અને ટ્રક ભટકાયા હતા. કાર નં.એમએચ 43 એટી 4375 લઈ રીતેશ જોષી ઉદવાડા આવી રહ્યો હતો ત્‍યારે ખાડામાં કાર કન્‍ટેનર નં.એચઆર 55 એજે 6703 સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત થયો હતો. એર બેગ ખુલી જતા ચાલક રીતેશ જોષીનો ચમત્‍કારીક બચાવ થયો હતો. ત્રીજો બનાવ વલસાડ સુગર મિલ ઓવરબ્રિજ હાઈવે ઉપર પાણી ભરાવાને લઈ કાર પટકાતા ચાલકે સ્‍ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાઈ કાર 100 મીટર ધસડાઈ હતી. જો કે ચાલકનોબચાવો થયો હતો. ત્રણેય અકસ્‍માતો હાઈવે ઉપર પડેલા ખાડાઓને લીધે બન્‍યા હતા. હાઈવે ઓથોરિટી હજુ પણ ગાઢ નિંદ્રામાં છે. વધુ અકસ્‍માતની રાહ જોઈ રહી છે.

Related posts

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

Leave a Comment