March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ‘સૌને પૌષ્‍ટિક આહાર’ના સપનાને સાકાર કરવા માટે પ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ઉત્‍કૃષ્ટ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘સક્ષમ આંગણવાડી’ અને ‘પોષણ 2.0′ યોજના હેઠળ દાનહ અને દમણ જિલ્લાની 365 જેટલી આંગણવાડીકેન્‍દ્રો પર બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા બાળકોને શુદ્ધ સાત્‍વિક સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક ભોજન પહોંચાડવામાં આવશે.
આજે સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને દાનહ કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ અક્ષય પાત્ર યોજનાનો સેલવાસ ઝંડાચોક ખાતેની આંગણવાડીથી શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલ પગલાંથી ફક્‍ત બાળકોને જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશને સંપૂર્ણ રીતે કુપોષણ મુક્‍ત બનાવવામાં પણ પૌષ્‍ટિક આહાર લાભદાયી નિવડશે.
યોજના અંગે વધુ જાણકારી આપતા શ્રીમતી ભાનુ પ્રભાએ જણાવ્‍યું હતું કે, કંપનીઓના સી.એસ.આર. અંતર્ગત પાયલોટ યોજનાના આધાર પર પહેલાં ત્રણ મહિના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેનાથી દાનહની 303, દમણની 62 આંગણવાડી કેન્‍દ્ર પર 02 થી 06 વર્ષના બાળકોને અક્ષય પાત્ર યોજનાના હેઠળ સેન્‍ટ્રલાઈઝડ કિચન દ્વારા શુદ્ધ, સાત્‍વિક, સ્‍વાદિષ્ટ અને પૌષ્‍ટિક ભોજન પહોંચાડવામાં આવશે. આ પહેલથી સંઘપ્રદેશમાં અંદાજીત 10 હજાર જેટલા બાળકોને એક સમાન પૌષ્‍ટિક ભોજનનો લાભ મળશે.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં કુપોષણ મુક્‍ત સંઘપ્રદેશ બનાવવાના સપનાને સાકાર કરવાની દિશામાં મહિલા અને બાળવિકાસ વિભાગ કટિબદ્ધ છે.

Related posts

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment