Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાનહના દાદરા ગામ ખાતે વાઘધરા નજીક દમણગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં બે ગાયો ફસાઈ હોવાની સૂચના દાનહ કલેક્‍ટોરેટના કંટ્રોલ રૂમને મળી હતી. સૂચના મળતાં જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ડિઝાસ્‍ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમને ઘટના સ્‍થળે રવાના કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણગંગા નદીનો પાણીનો પ્રવાહ ખુબ જ તેજ હોવાથી ગાયોનું રેસ્‍ક્‍યુ કરવું મુશ્‍કેલ હતું. તેથી મધુબન ડેમ ઓથોરિટીને દમણગંગા નદીમાં છોડાતા પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાંજે સાડા ચાર વાગ્‍યે પાણીનો પ્રવાહ ઓછો થતાં ફાયર વિભાગની ટીમ ઈન્‍ફલેટેબલ બોટ દ્વારા નદીમાં ઉતરી હતી અને સફળતાપૂર્વક બંને ગાયોને રેસ્‍ક્‍યુ કરી હતી. ત્‍યારબાદ ગાયોની સારવાર માટે પશુ એમ્‍બ્‍યુલન્‍સમાં સુરક્ષિત ગૌશાળામાંં લઈ જવામાં આવી હતી.

Related posts

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

Leave a Comment