Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાનહના દાદરા ગામ ખાતે વાઘધરા નજીક દમણગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં બે ગાયો ફસાઈ હોવાની સૂચના દાનહ કલેક્‍ટોરેટના કંટ્રોલ રૂમને મળી હતી. સૂચના મળતાં જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ડિઝાસ્‍ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમને ઘટના સ્‍થળે રવાના કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણગંગા નદીનો પાણીનો પ્રવાહ ખુબ જ તેજ હોવાથી ગાયોનું રેસ્‍ક્‍યુ કરવું મુશ્‍કેલ હતું. તેથી મધુબન ડેમ ઓથોરિટીને દમણગંગા નદીમાં છોડાતા પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાંજે સાડા ચાર વાગ્‍યે પાણીનો પ્રવાહ ઓછો થતાં ફાયર વિભાગની ટીમ ઈન્‍ફલેટેબલ બોટ દ્વારા નદીમાં ઉતરી હતી અને સફળતાપૂર્વક બંને ગાયોને રેસ્‍ક્‍યુ કરી હતી. ત્‍યારબાદ ગાયોની સારવાર માટે પશુ એમ્‍બ્‍યુલન્‍સમાં સુરક્ષિત ગૌશાળામાંં લઈ જવામાં આવી હતી.

Related posts

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

વલસાડમાં વેપારી પરિવાર રાજસ્‍થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્‍કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment