July 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મધુબન ડેમમાં પાણીની આવક વધતાં 10 દરવાજા 2.70 મીટર ખોલાતા દમણગંગા બે કાંઠે વહીઃ નીચાણના તમામ રહેણાંક વિસ્‍તારોને સાવચેત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં ગત બુધવારની રાત્રિના 8 વાગ્‍યાથી લઈને આજે ગુરૂવારે રાત્રિના 8 વાગ્‍યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા તમામ દસ દરવાજા 2.70મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે, જેના કારણે દમણગંગા નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટી 82 મીટર છે પરંતુ આગોતરા આયોજન અંતર્ગત સત્તાવાળાઓએ પાણી છોડવાનું નક્કી કરાયું છે. નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. દાદરા નગર હવેલી અને વાપી તથા દમણના નદી તટના તમામ 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે અને લોકોને દમણગંગા નદી કિનારે નહીં જવાની લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે 84 જેટલા રસ્‍તા ઓવરટેપિંગને લઈ બંધ થયા છે.
દમણગંગા નદીમાં પાણી છોડવાથી પૂરની સ્‍થિતિને જોતાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નદીકિનારે, સેલવાસ રિવરફ્રન્‍ટ ઉપર નહીં જવા અને લોકોને સાવચેત તાકીદ કરવામાં આવી છે. સેલવાસમાં 3 ઇંચ(85.2એમએમ), ખાનવેલમાં 4.78 ઇંચ(121.3એમએમ) વધુ વરસાદ વરસ્‍યો. સંઘપ્રદેશ દાનહમાં સિઝનનો કુલ વરસાદમાં સેલવાસમાં 75ઇંચ (1905.0 એમએમ) અને ખાનવેલમાં 66.92 ઇંચ (1699.0એમએમ) વરસી ચુક્‍યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમનું લેવલ 72.55 મીટર છે અને ડેમના તમામ દસે દસ દરવાજા 2.70મીટર સુધી ખોલી દેવામાં આવ્‍યા છે. ડેમમાં પાણીની આવક 104343 ક્‍યુસેક અને જાવક 94393 ક્‍યુસેક છે.

Related posts

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

Leave a Comment