Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

(…ગતાંકથી ચાલુ)
આ સમગ્ર ઘટનાક્રમનો વિચાર કરતાં મુખ્‍યત્‍વે એક વાત દેખાઈ આવે છે કે ભારતમાં જે કોઈ વિદેશી આક્રમણો થયાં તે બધાંનો ઉદ્દેશ એક જ હતો. હિન્‍દુ સંસ્‍કૃતિ, સમાજ અને ધર્મ એ બધાંનો નાશ કરવો અને પોતાના ધર્મની પ્રસ્‍થાપના કરવી. પેશવા પાસેથી નગર હવેલી જેવા ગરીબ અને જ્‍યાં ડાંગર સિવાય કંઈ ઉપજતું પણ ન હોય તેવા પ્રદેશની માગણી કરતી વખતે પણ પોર્ટુગીઝોના મનમાં આ જ હેતુ હતો. આ પ્રદેશનું ધર્મપ્રચાર અને વેપારવિષયક મહત્ત્વ તેમના ધ્‍યાનમાં પૂરેપૂરૂં આવી ગયું હતું.
આવાં અનેક સદીઓથી ચાલી રહેલાં આક્રમણો અને અત્‍યાચારો તરફ જ્‍યારે મોટાભાગનો સમાજ બેખબર હતો અને ભારત સરકાર પોતે પણ આંતરરાષ્‍ટ્રીય પ્રતિષ્‍ઠા સાચવવા ખાતર શાંતિપૂર્ણ સમાધાનની ખોખલી નીતિ અપનાવીને બેઠી હતી ત્‍યારે પોર્ટુગીઝો જેવા ક્રૂર શાસકોના હાથમાંથી માતૃભૂમિના એક ભૂભાગ, દાદરા નગર હવેલી માટે થયેલો સંઘર્ષ એક મહત્ત્વનું સીમાચિホ બની રહે છે.
આવા અપૂર્વ, ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવા સંગ્રામને સફળ બનાવવામાં મુખ્‍ય ભાગ ભજવ્‍યો પુણેના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના 92 સ્‍વયંસેવકોએ, અને તેમને સાથે આપ્‍યો આઝાદ ગોમાંતક દળના 20 યુવાનોએ. રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સંસ્‍કારોથી પ્રેરિત સ્‍વયંસેવકોમાટે માતૃભૂમિની મુક્‍તિની ઇચ્‍છા જ પ્રેરણારૂપ હતી. સંઘની દૈનંદિન શાખા, વિશેષ કાર્યક્રમોમાં અપાતાં બૌદ્ધિક, પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ એવા સંઘ શિક્ષા વર્ગો તથા અન્‍ય પ્રશિક્ષણ વર્ગો અને સંઘ સાહિત્‍યમાંથી એક અને અખંડ રાષ્‍ટ્રના નિર્માણના થતા સંસ્‍કાર દ્વારા તેમની પાર્શ્વભૂમિ તૈયાર થયેલી હતી.
દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રત્‍યક્ષપણે સહભાગી ન હતો. તેમ છતાં અનેક સ્‍વયંસેવકોની સાથે જ તત્‍કાલિન પ્રાંતપ્રચારક શ્રી બાબારાવ ભીડે અને પુણેના સંઘચાલક શ્રી વિનાયકરાવ આપટેનો તેમાં ખુબ સક્રિય સહભાગ રહ્યો હતો. આ સમગ્ર અભિયાન દરમિયાન તેઓ અનેક રીતે મદદકર્તા અને માર્ગદર્શક બની રહ્યા હતા. તે સમયે પ્રાંતના સંઘકાર્યમાં મહત્ત્વની જવાબદારી નિભાવતા શ્રી મોરોપંત પિંગળે પણ સિલવાસા ગયેલા સહુ સ્‍વયંસેવકોને મળવા જઈ આવ્‍યા હતા. આ સંદર્ભમાં તેમણે કરેલું વિવેચન સંઘની આ ભૂમિકાને સારી રીતે સ્‍પષ્‍ટ કરે છે. તેઓ કહે છે, ‘રાષ્‍ટ્રના પુનરુત્‍થાન માટે શક્‍તિશાળી યુવાનોની સુસંસ્‍કારિત પેઢી તૈયાર કરવી એ સંઘે સ્‍વીકારેલું કાર્ય છે. તે માટે કરવા પડતાં બધાં જ કાર્યો યોગ્‍ય છે તેમ સંઘ માને છે. પરંતુ એકંદર સમસ્‍યાની વ્‍યાપ્તિ અને ઉપલબ્‍ધ સાધનસામગ્રીને ધ્‍યાનમાં લઈને સંઘને કરવા યોગ્‍ય કામોનો ક્રમનક્કી કરવો પડે છે. અનેક કામો કરવાની આવશ્‍યકતા દેખાતી હોવા છતાં તે બધાં જ કામો આપણે કરી શકતા નથી એનો આપણને ખેદ છે. કાર્યોની શક્‍યાશક્‍યતા નક્કી કરવાની સંઘની એક નિヘતિ પદ્ધતિ છે. તે અનુસાર સંઘકાર્ય ચાલે છે. પરંતુ સંઘની કાર્યસૂચિમાં ન હોય તેવાં કામ સંઘસ્‍વયંસેવકો કરે તો તેમને યોગ્‍ય અને શક્‍ય એટલી મદદ સંઘ કરે જ છે.

(ક્રમશઃ)

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા

vartmanpravah

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

Leave a Comment