Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0૫: વાપીના મહાવીર નગર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના અચલગચ્છ જૈન સંઘ અને સાવલા પરિવાર દ્વારા માતૃશ્રી હિરબાઈ મેઘજી સાવલાની સ્મૃતિમાં ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં રકતદાનની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે ત્યારે આ રક્તદાન શિબિરનું આયોજન અભિનંદનને પાત્ર છે. સાથે જ રક્તદાન કરનાર રક્તદાતાઓ પણ અભિનંદનને પાત્ર છે. રક્તદાનને મહાદાન તરીકે ગણવામાં આવે છે. મંત્રીશ્રીએ રકતદાતાઓની મુલાકાત પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, સાવલા પરિવાર દ્વારા છેલ્લા ૨ વર્ષથી રકતદાન શિબિરનું આયોજન થાય છે. જેમાં પ્રથમ વર્ષે ૨૦૨૧માં ૨૨૨ બોટલ, બીજા વર્ષે ૨૦૨૨માં ૩૨૨ બોટલ રકતદાન એકત્ર થયું હતું. જ્યારે આજની રકતદાન શિબિરમાં ૪૧૧ બોટલ રક્ત એકત્ર થયું હતું. જે બદલ સાવલા પરિવારે તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

Related posts

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

Leave a Comment