June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0૫: વાપીના મહાવીર નગર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના અચલગચ્છ જૈન સંઘ અને સાવલા પરિવાર દ્વારા માતૃશ્રી હિરબાઈ મેઘજી સાવલાની સ્મૃતિમાં ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં રકતદાનની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે ત્યારે આ રક્તદાન શિબિરનું આયોજન અભિનંદનને પાત્ર છે. સાથે જ રક્તદાન કરનાર રક્તદાતાઓ પણ અભિનંદનને પાત્ર છે. રક્તદાનને મહાદાન તરીકે ગણવામાં આવે છે. મંત્રીશ્રીએ રકતદાતાઓની મુલાકાત પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, સાવલા પરિવાર દ્વારા છેલ્લા ૨ વર્ષથી રકતદાન શિબિરનું આયોજન થાય છે. જેમાં પ્રથમ વર્ષે ૨૦૨૧માં ૨૨૨ બોટલ, બીજા વર્ષે ૨૦૨૨માં ૩૨૨ બોટલ રકતદાન એકત્ર થયું હતું. જ્યારે આજની રકતદાન શિબિરમાં ૪૧૧ બોટલ રક્ત એકત્ર થયું હતું. જે બદલ સાવલા પરિવારે તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ ખાતે ઝૂનોટિક રોગો અંગે તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

Leave a Comment