January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટેવર્ક)
સરીગામ, તા.૦૫: ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર અને ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે નિમણૂક આપતા અટવાઈ રહેલા પ્રજાના કાર્યોમાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે વી પાંડવની નિમણૂક કરવામાં આવી છે જે હાલમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં અમિત ઝડફિયાને એન્ટીકરપ્શન ની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેવી જ રીતે ઉમરગામ પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફિસર બારોટની બદલી થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની જરૂરિયાત જણાય રહી હતી. જે જગ્યા ઉપર ચીફ ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment