Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

પ્રદેશ ભાજપના મહામંત્રી બનેલા સુનિલ પાટીલ પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર હોવાની ગણના

શ્રી સુનિલ પાટીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે મહામંત્રી શ્રી મનિષ દેસાઈને હટાવી તેમના સ્‍થાને શ્રી સુનિલ પાટીલની નિયુક્‍તિ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી છે. હાલમાં દાદરા નગર હવેલીના શ્રી મહેશ ગાવિત પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે અને શ્રી સુનિલ પાટીલ પણ દાદરા નગર હવેલીના હોવાથી ફરી એક વખત દાદરા નગર હવેલીને જ બંને મહામંત્રીઓ માટે તક આપી છે.
શ્રી સુનિલ પાટીલની ગણતરી પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર તરીકે થાય છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે તેમનો ચહેરો પણ નવો હોવા છતાં પ્રદેશ મહામંત્રી શ્રી મહેશ ગાવિતની સાથે પક્ષને સબળ નેતૃતત્‍વ આપશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા 61મા મુક્‍તિ દિવસની શાનદાર રીતે કરાયેલી ઉજવણી

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment