Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

સુફીયાન અશરફભાઈ મનિષ એલ્‍યુમિનિયમમાં નોકરી કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી વી.આઈ.એ. ચાર રસ્‍તા ઉપર આવેલ એક એલ્‍યુમિનિયમની દુકાનમાં ફરજ બજાવતો યુવક 04 જુલાઈના રોજ નમાજ પઢવાનું શેઠને જણાવી નિકળેલ હતો. તેનુ બાઈક ચાવી સાથે દમણગંગા પુલના છેડે મળી આવેલ છે તેથી પિતાએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ 21 વર્ષિય સુફીયાન અશરફભાઈ કાળવાતર રહે.હરિયા પાર્ક, સનરાજ એવન્‍યું, ફલેટ નં.503, વી.આઈ.એ. ચાર રસ્‍તા પાસે આવેલ મનિષ એલ્‍યુમિનિયમ નામની દુકાનમાં ફરજ બજાવે છે. ગત તા.04ના રોજ સુફીયાન તેની મો.સા. નં.જીજે 15 ક્‍યુંક્‍યું 2778 લઈને દુકાને શેઠને જણાવેલ કે નમાજ પઢવા જાઉ છું કહી નિકળેલો હતો. ત્‍યાર બાદ સુફીયાનની બાઈક ચાવી સાથે દમણગંગા નદી પુલનાછેડેથી મળી આવી છે તેથી પિતા અશરફ અબ્‍દુલભાઈએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. માહિતી મળે તો પો.સ્‍ટે.માં જાણ કરવાની વિનંતી કરાઈ છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

વડોદરા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આરસેટી) દ્વારા કૌંચા- ખાનવેલમાં વન ધન વિકાસ સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોને આપવામાં આવેલી રાખડી બનાવવા માટેની એક દિવસીય તાલીમ

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment